Abtak Media Google News

મદુરાઈની ચૂંટણીસભામાં સૌરાષ્ટ્રવાસીઓનો ખાસ ઉલ્લેખ કરતા વડાપ્રધાન: પ્રો. કમલેશ જોશીપૂરાની વિનંતીથી વડાપ્રધાને ચૂંટણી વ્યસ્તતા વચ્ચે સૌરાષ્ટ્રીયન સમુદાયને ખાસ સમય ફાળવ્યો

સૌરાષ્ટ્રીયન સમુદાયને આવકારી સ્થાયી કરનારા મદુરાઈવાસીઓ વિશાળ હૃદયના છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદુરાઈ ખાતે સૌરાષ્ટ્રવાસીઓને મળ્યા ત્યારે જણાવ્યું હતુ. નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ ભાર ત સરકાર નાં સભ્ય અને પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરા દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય સદર મુલાકાત માટે કરાયેલ વિનંતિ અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, મુળ સૌરાષ્ટ્રવાસી સમુદાયને મળવા અર્થે ખાસ સમય ફાળવી તાજ હોટેલ મદુરાઈ ખાતે સવિશેષ નિમંત્રિત કરી સમુદાયનાં શૈક્ષાણીક, સાંસ્કૃતિક, વાણીજય સહિતનાં ક્ષોત્રોમાં યોગદાન અંગે ખુબ જ ઉંડોરસ દાખવી આ પ્રતિનિધિમંડળ સાથે ઘણીબધી રસપ્રદ ચર્ચા કરી સુચનો ર્ક્યા હતા.

06 K12

સોમનાથ મહાદેવ ઉપર ઈ.સ.960 ની સાલમાં ગઝનીનાં આક્રમણ વખતે સૌરાષ્ટ્રીયન સમુદાય સામુહિક હિજર ત-સ્થળાંતર કરી અને પ્રથમ મદુરાઈ તથા બાદમાં તામીલનાડુનાં વિવિધ જીલ્લાઓ અને કર્ણાટકમાં વસેલો છે. તામીલનાડુનાં પ્રત્યેક ક્ષેત્રમાં સૌરાષ્ટ્રીયન સમુદાયની મજબુત અને અસરકારક હિસ્સેદારી છે.
મદુરાઈ (દક્ષિણ )નાં વર્તમાન ધારાસભ્ય સૌરાષ્ટ્રીયન સમુદાયનાં એસ. સર્વનન એ.આઈ.એ.ડી.એમ઼કે. એટલે કે એન.ડી.એ.નાં ઉમેદવાર તરીકે ફરીથી ચુંટણી લડી રહેલ છે. મદુરાઈ સીટીમાં 3 લાખ થી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસે છે. મદુરાઈ લોક્સભામાં પણ છ ટર્મ સૌરાષ્ટ્રવાસીઓ ચુંટાઈ આવેલ છે.
મદુરાઈ ખાતે પહોંચી સુવિખ્યાત પ્રાચીન મીનાક્ષાીમાતાનાં દર્શન બાદ તુરંત જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર સમુદાયનાં રાજકીય, સામાજીક, શેક્ષણિક અને કલાઓ સાથે શુભેચ્છા બેઠક કરી હતી. પ્રારંભે નરેન્દ્ર મોદીએ સમુદાયની શેક્ષણિક ક્ષેત્રે થઈ રહેલ પ્રગતિની જાણકારી મેળવી હતી. સવિશેષ રીતે સમુદાયની યુવાપેઢીનો ગુજરાત સાથે નાતો ગાઢ બનાવવા ખાસ ભાર મુકી અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને તેમના પૂર્વજોનાં મુળ વતન સોમનાથજી ઉપરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થાનો ઉપર મુલાકાતો વધારવા ખાસ અનુરોધ કરેલ.

06 K13

સૌરાષ્ટ્રીયન સમુદાય પરંપરાગત રીતે કાપડ ઉદ્યોગ સવિશેષ રીતે સાડીવણાંટ કામમાં વૈશ્વિક નામનાં ધરાવે છે, સુવિખ્યાત કાંજીવર મ સાડી જેવા પિર ધાનમાં ખાસ પારંગત છે તેમાં વ્યવસાયગત સજજતા અને વૈશ્ર્વીક વ્યાપાર માં પ્રદાન અંગે ખાસ ચર્ચા આ બેઠકમાં થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ અને એનએમએમએલ (ભારત સરકાર ) નાં સભ્ય પ્રો. કમલેશ જોશીપુરા ર006 ની સાલથી સૌર ષ્ટ્રીયન સમુદાયની વિવિધ પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું સંકલન કરી રહેલ, શ્રી જોશીપુરાએ પ્રધાનમંત્રી કાર્યાલયે વિનંતી કરતા પ્રધાનમંત્રીએ અતિ વ્યસ્ત સમયપત્રક વચ્ચે આ સમુદાયને મળવા ખાસ તત્પર તા દાખવી હતી જેની દક્ષાીણ ભારતનાં પ્રચાર માધ્યમોએ પણ ખાસ નોંધ લીધી હતી.

પ્રતિનિધિમંડળમાં જેમનાં પિતા મદુરાઈ લોક્સભામાંથી અને ખુદ ત્રણ ટર્મ સાંસદ રહેલા એ.જી.એસ. રામબાબુ, સૌરાષ્ટ્ર સમુદાયનાં પોલીટીકલ કો ઓર્ડીનેટર આર .બી.આર .રામાસુબ્રમણ્યમ, પૂર્વ કુલપતિ વી.આર . રાજેન્ન, સંઘ અગ્રણી પ્રકાશકુમાર , વિરષ્ઠ શિક્ષાણવિદ જે. જવાહાર લાલજી, તામીલનાડુનાં ગાંધી તરીકે સુવિખ્યાત સ્વાતંત્રય સેનાની એન.એમ઼આર . સુબ્રમણ્યમનાં પિર વાર નાં એસ. જવાહર લાલ, તીરૂનેલવેલનાં આનંદરામન, વિરષ્ઠ ઉદ્યોગપતિ વી.જી.રામદાસ, એન.એસ.શાંતારામન, ટી.એસ.ર વીશન સહિતનાં અગ્રણીઓ જોડાયેલા. જાહેર સભામાં નરેન્દ્રભાઈ મોદીએ, કે.કામરાજ, એમ઼ જી. રામચંદન ઉપરાંત મુળ સૌરાષ્ટ્રવાસી મદુરાઈ ગાંધી અને.એમ઼આર . સુબ્રમણ્યમને ખાસ યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.