Abtak Media Google News

નર્મદાનીરના વધામણા લોકોત્સવ અંતર્ગત આયોજન

આજી ડેમ ખાતે ‘નર્મદા નીરના વધામણા’ લોકોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે તા.૨૩ના રોજ ગાંધીગ્રામ, રામાપીર ચોકડી પાસે ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહિર, ધી‚ભાઈ સરવૈયા અને ઉર્વશીબેન રાદડીયાનો લોકડાયરો યોજાશે.

આ તકે અબતકની મુલાકાતે આવેલા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે સૌની યોજના હેઠળ આજી ડેમ ખાતે નર્મદા નીરનાં વધામણાનો લોકોત્સવ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૨૯ના રોજ થનાર છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજ તા.૨૩ રાત્રે ૮.૩૦ કલાકે ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે યુવા હૈયાના હૃદય સમ્રાટ એવા ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહિર, ધી‚ભાઈ સરવૈયા તથા ઉર્વશીબેન રાદડીયા પ્રસ્તુત લોકડાયરાનું શાનદાર આયોજન કરેલ છે. આ લોકડાયરાનું દીપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલીકાના પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, પાર્ટીના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.