Abtak Media Google News

જય બાલાજી માનવ સેવા સમિતિ આયોજત સમુહ લગ્નમાં ૧૧ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે

જય બાલાજી માનવ સેવા સમિતિ દ્વારા આગામી રવિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મેઘવાળ સમાજના દ્વિતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ નવદંપતિઓ લગ્ન ગ્રંથીથી જોડાશે આ અંગે વિગત આપવા પ્રમુખ દેવજીભાઈ વાઘેલા, એન.જી. પરમાર, હિરાલાલચાવડા, નાનજીભાઈ પારધી, મોહનભાઈ ગોહેલ, પ્રવિણ ભાઈ મકવાણા અને રવજીભાઈ બગડા એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જય બાલાજી માનવ સેવા સમિતિ આયોજીત આ સમુહ લગ્ન રેસકોષૅ ખાતે યોજાનાર છે. જેમાં રવિવારે સવારે ૮ કલાકે જાનઆગમન, ૧૦ કલાકે હસ્તમેળાપ, ૧૧ કલાકે ભોજન સમારંભ, બપોરે ૧ કલાકે કરીયાવર અપર્ણ વિધી અને ૨ કલાકે વિદાય સહિતના કાર્યકમો યોજાશે.

આ પ્રસંગે નવદંપતિઓને આર્શિવાદ આપવા ઉગમેશ્ર્વર આશ્રમ બાંદ્રાના પૂ. ઉગારામ બાપા અને મહંત ગોરધનદાસ બાપુ તેમજ જીવરામબાપુ ઉપસ્થિત રહેશે. સમાજના દાતાઓના સહયોગથી નવદંપતિઓને અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપ આપવામાં આવશે. સમુહ લગ્ન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપ અધ્યક્ષ મહિલા મોરચા અંજલીબેન રૂપાણી, નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશ મિરાણી, ખીમજીભાઈ મકવાણા, દર્શિતાબેન શાહ, ડો. જયમનભાઈ ઉપાધ્યાય, પુષ્કરભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, વસરામભાઈ સાગઠીયા, અમરસીભાઈ મકવાણા, લાખાભાઈ સાગઠીયા, બાબુભાઈ ડાભી અને મોહનભાઈ દાફડા ઉપસ્થિત રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.