Abtak Media Google News

સગા દીઠા ‘સરદાર’ના ર્માં નર્મદાને તીર કીર્તીમાન ‘વિરાટ’નું નિહાળી ભાવવિભોર

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જગતની સૌથી ઊંચી પ્રતિમાનું લોકમાતા નર્મદાના તીરે નિર્માણ કરવાનું વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સપનું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મિશન સાકાર થયું તે ઐતિહાસિક પ્રસંગે દેશ-વિદેશી સરદારના ૩૭ સ્વજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બન્યા હતા. આ અભૂતપૂર્વ અવસરે ભાજપ અગ્રણી,  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વઉપાધ્યક્ષ અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સોની એક અવિસ્મરણીય મુલાકાતમાં સરદારના સ્વજનોએ ભાવવિભોર તાં કહ્યું હતું કે, સરદારની વિદાયના લગભગ સાત દાયકા બાદ એક વિરાટ રાષ્ટ્રની વિરાટ પ્રતિભાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્વરૂપે યોચિત્ત સન્માન બક્ષવામાં આવ્યું છે. સરદારનું આ ભવ્યાતિભવ્ય સ્મારક માત્ર ભારત જ નહીં, સમસ્ત વિશ્વની આવનારી અનેક પેઢીઓને લોખંડી મનોબળ સાથે, નિ:ર્સ્વાભાવે એક રાષ્ટ્રની અનન્ય સેવા કઈ રીતે થઇ શકે તેની અનોખી પ્રેરણા પૂરી પાડતું રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

સરદારના સ્વજનો સોની યાદગાર મુલાકાત અંગે એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, સરદારના સ્વજનો સોની વાતચિત્ત ખુબ જ રસપ્રદ રહી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ રાષ્ટ્ર દ્વારા સરદારનું સાચા ર્અમાં યેલું ભવ્ય સન્માન છે, ઉત્કૃષ્ટ ભાવી યેલું તર્પણ છે અને તે અભૂતપૂર્વ છે તેમ કહેતાં સરદાર વલ્લભભાઈ પટેલના ૯૧ વર્ષની જૈફ વયના પૌત્ર આદરણીય શ્રી ધીરુભાઈ પટેલ ભાવવિભોર થઇ ગયા હતા; ધીરુભાઈ ઉપરાંત, એમના સર્વ પરિવારજનોએ આવી જ લાગણી વ્યક્ત કરી હતી. સરદારના તમામ સ્વજનોના ચહેરા પર ખૂશી, આનંદ અને કૃતજ્ઞતાના જે ભાવ જોવા મળ્યા તેનું શાબ્દિક વર્ણન અશક્ય છે.

ધીરુભાઈએ કહ્યું હતું કે, લોકનેતા સરદારને આવું અને આટલું સન્માન અગાઉ ક્યારેય મળ્યું નથી. હું નાનો હતો ત્યારે સરદાર સાથે ઘણાં જાહેર કાર્યક્રમોમાં જતો હતો પરંતુ, સરદારનું આવું સન્માન કદીયે નિહાળ્યું નથી. આજે સરદારનું આ યોચિત્ત ભવ્યાતિભવ્ય સન્માન તેમજ તેના ભવ્ય પ્રતીકરૂપ, વિશ્વનું સૌથી ઉત્તુંગ સ્મારક નિહાળીને અમો સહુ પરિવારજનો ખુબ જ આનંદ, ખૂશી અને ગર્વની લાગણી અનુભવીએ છીએ.

સરદારના સ્વજનોએ રાજુભાઈ સોની વાતચીત્તમાં કહ્યું હતું કે, સરદાર સાચા ર્અમાં એક રાષ્ટ્રવાદી રાજપુરૂષ અને નિ:ર્સ્વા લોકનેતા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિની વેળાએ દેશ ટૂકડે ટૂકડામાં વહેંચાઇ જવાની અણી પર હતો, ભારત રાષ્ટ્ર ખંડ ખંડ થઇ જવાની કગાર પર હતો ત્યારે સરદારે પોણા છસ્સો જેટલાં રજવાડાઓને પોતાની અત્યંત વિચક્ષણ બુદ્ધિથી મહાન રાષ્ટ્રમાં વિલીન થઇ જવા માટે મનાવ્યા, સમજાવ્યા અને નહીં માનવાનો પ્રયાસ કરનારને અખંડ રાષ્ટ્રની સત્તાનો સ્વીકાર કરવા માટે મજબૂર કર્યા એ કાર્ય એટલું ઐતિહાસિક, મોટું, વિશાળ, પ્રચંડ પડકારરૂપ અને લગભગ અશક્ય જેવું હતું જેની કોઈ સામાન્ય માનવી તો કલ્પના પણ કરી શકે નહિ.

સરદારે એકલા હો આવું ભગીર કાર્ય કઈ રીતે પાર પાડ્યું તેની વિગતોથી આજ સુધી મોટાભાગના દેશવાસીઓ અજાણ છે; હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપે જગતની સૌથી ઊંચી પ્રતિમા નિહાળનાર દેશના અને દુનિયાના લોકોને સ્વાભાવિક ઉત્કંઠા થશે કે, જેની આટલી વિરાટ પ્રતિમા બનાવવામાં આવી છે એ વિભૂતિ કોણ હતી. પરિણામે, સરદારના જીવન-કવન વિષે તેઓ વધુ જાણવાની કોશિશ કરશે. સરદારશ્રીના વ્યક્તિત્વ, એમના વિચારો અને એમના કાર્યોથી તેઓ અવગત થશે અને અનોખી પ્રેરણા મેળવશે. થોડાંક હજાર લોકો પણ સરદારના અનન્ય જીવની પ્રેરિત થશે તો તેઓનું તો જીવન બદલાશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.