Abtak Media Google News

સત્ય ઉજાગર માટે ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરોને ગાંધી મ્યુઝિયમમાં જવાની પરવાનગી ન અપાય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવાની કામગીરીમાં શંકાસ્પદ રીતે હાલ ચાલી રહી છે જેમાં કરોડો રૂપિયાનું મહાત્મા ગાંધીના નામે કૌભાંડ પણ ઇ રહ્યું છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ કાયમી સાદગી પછાત વર્ગની સેવા કરવી, નાના અને ગરીબ માણસોનું જીવનધોરણ સુધરે આક પ્રયત્નો કર્યા તેવા સાદગીના ઉપાસક ભારતરત્ન મહાત્મા ગાંધીના સ્મારક રાજકોટમાં બની રહ્યું છે હાલના ભાજપના શાશકો એ પણ ભૂલી ગયા છે કે ગાંધી બાપુ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જમાનાના પ્રમુખ પણ હતા અને કોંગ્રેસે આ દેશને અંગ્રેજોની ગુલામીમાંી મુક્ત કરાવ્યા છે તે પણ ભાજપના લોકોએ ભૂલવું ના જોઈએ કે હાલ જેનું રીનોવેશન અને મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવી રહ્યા છે તે પણ કોંગ્રેસના લીડરોની દેન છે એ નાં ભૂલવું જોઈએ હાલમાં આ સ્મારક બની રહ્યું છે એ લોકહિતનું કામ છે માટે તેને કોંગ્રેસ પાર્ટી આવકારે છે પરંતુ ગાંધીબાપુના નામે ઇ રહેલા કરોડો રૂપિયાના કોભાંડની કોંગ્રેસ પાર્ટીને બુ આવતા સ્ળ તપાસ માટે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરોની એક ટીમ બનાવીને સ્ળ વિઝીટમાં ગઈ હતી પરંતુ, તેમાં આ કોર્પોરેટરોને અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો ની એની પાછળનું કોઈ કારણ હોય તો તે કરોડો રૂપિયાના કોભંડો છતાં ના ાય અને દેશના પ્રાઈમ મીનીસ્ટર રાજકોટ છોડ્યા પછી તેમના કોભાંડ છતાં ાય તેવું પ્રમ નજરે દેખાય છે  તેમ વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા, અતુલ રાજાણી તથા મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે પ્રમ જયારે ૨૦૧૭માં આ અનુભૂતિ કેન્દ્ર બનાવવાનું  નક્કી યું છે ત્યારે રાયનો એન્જીનીયરીંગ પ્રાઇવેટ લીમીટેડને ક્ધસલ્ટન્ટનું કામ તા.૨૮-૩-૨૦૧૭ના રોજ સોપવામાં આવ્યું હતું જેને રૂ.૩૧ લાખ ક્ધસલ્ટિંગ ફી ચુકવવામાં આવેલ છે તેને બનાવ્યા મુજબ ૧૫.૮૪,૯૯,૮૧૪ રૂ./- નું સંપૂર્ણ કામ શે  મ્યુઝિયમની ઇન્ટીરીયર કામગીરી  ૧૨,૩૯,૬૩,૪૪૨/-

આ રીતે કુલ ખર્ચ નક્કી કરી વામાં કોમ્યુનીકેશનને સોપવામાં આવેલ છે આ વામાં કોમ્યુનીકેશન કંપની જેની છે તે મહિલા ભાજપ સો સાઠગાંઠ ધરાવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર જેવા અનેક પ્રોજેક્ટો આ વામાં કંપનીને આપેલ છે એ જ કંપનીને આ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની કામગીરી સોપવામાં આવેલ છે

સ્ટેન્ડીંગ કમીટીના યેલ તાજેતરમાં યેલ ઠરાવ મુજબ આ જ કંપનીને ૧૫,૮૪,૯૯,૮૧૪ કરોડ રૂપિયા નું જે કામ હતું તે કામમાં ૯,૯૩,૭૧,૨૩૮/- કરોડ રૂપિયાનો વધારો કરી કુલ ૨૬,૦૯,૭૧,૦૫૨/- જેવી  માતબર રકમ આ વામાં કંપનીને ચુકવવાનો ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ કર્યો અંદરની વિગતો જાણવા મુજબ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનને આ દરખાસ્ત મંજુર કરવાનો વિરોધ કર્યો પરંતુ ભાજપના શાશકો પોતાના શાશનની મદમાં તમામ વસ્તુઓમાં ભાન ભૂલી જાય છે.

આ અનુભૂતિ કેન્દ્રમાં અંદાજે ૨૬ રૂમો આવેલ છે  કોંગ્રેસ પાર્ટીએ ભાજપના મિત્રોને એ પૂછવું છે કે ગાંધીબાપુનું જન્મસ્ળ પોરબંદર માં આવેલ તેમના ઘરની આબેહુબ ચિત્રો બનાવ્યા છે ગાંધી બાપુનો રેંટિયો મુક્યો છે ગાંધીબાપુને યેરવડા જેલમાં ઉભેલા દર્શાવ્યા છે ગાંધી બાપુએ આફ્રિકાની જેલમાં ઉપવાસ ચાલુ કર્યા તે દર્શાવવામાં આવેલ છે ગાંધીબાપુની દાંડી યાત્રાની ઝલક દર્શાવવમાં આવેલ છે કે ટૂંકમાં ગાંધીબાપુને લગતા તેમના ચલ ચિત્રો, પ્રેસ ફોટોગ્રાફી, જીવન કાર્યો, ને લગતી ડીજીટલ સ્ક્રીન્સ, વિડીયોવોલ, ૩ડી પ્રોજેક્શન મેકિંગનો શો વગેરે ની કામગીરી પાછળ ૧૫.૮૫ કરોડ રૂપિયા  માંી રાતોરાત આ મેડમના કહ્યા મુજબ રૂ.૨૬ કરોડ ઉપરનું બજેટ બની જતું હોય તે પણ એક શંકાના દાયરામાં છે આ કંપનીને નાણા ચૂકવવા માટે રાતોરાત  સીએમ કાર્યાલયમાંી ફોન રણકી રહ્યા હોય છે અને કામ યું હોય તે ઉપરાંત વધારાનું પેમેન્ટ રાતોરાત ચુકવાય જાય છે તે કોના કહેવાી યું હોય છે એ ગુજરાતની પ્રજા જાણી ગઈ છે. તેને ઉજાગર કરવો સ્ળ ઉપર ગયેલ કમીટી વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા, અતુલભાઈ રાજાની, દિલીપભાઈ આસવાણી, ઘનશ્યામસિંહ એ. જાડેજા, પ્રવીણભાઈ સોરાણી, ઠાકરસીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, યતીનભાઈ વાઘેલા અને વિરલ ભટ્ટ સહિતના કોંગ્રેસના આગેવાનો સ્ળ વિઝીટ કરવા ગયા હતા પરંતુ, ભાજપના શાશકોના કહ્યાગરા કમિશ્નરે પરમીશન આપી ન હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.