Abtak Media Google News

રૂ.૧ લાખના વ્યાજ સહિત રૂ.૫ લાખ ચુકવી દીધા છતાં ધાક ધમકી દેતા ઝેર પી જીવન ટૂંકાવ્યું

વંથલી તાલુકાના ચંદરાવાડી ગામના યુવાને વ્યાજખોર દ્વારા દેવાતા ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે વ્યાજના ધંધાર્થી સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંદરાવાડી ગામે રહેતા અશોક કરશનભાઇ જાદવ નામના યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.મૃતક અશોક જાદવે પોતાના જ ગામના દેવા વિજયગીરી ગૌસ્વામી પાસેથી પાંચેક વર્ષ પહેલાં એક લાખ વ્યાજે લીધા હતા. અત્યાર સુધી કટકે કટકે વ્યાજ સહિત ‚રૂ.૫ લાખ ચુકવી દીધા હોવા છતાં અશોકને દેવા ગૌસ્વામી વ્યાજની ઉઘરાણી કરી ધમકી દેતો હોવાથી કંટાળી આપઘાત કર્યા અંગેની અશોક જાદવની માતા પ્રભાબેન કરશનભાઇ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દેવા ગૌસ્વામી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.