Abtak Media Google News

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જેની આશા હતી તેવું જ થયું છે. મોદી સરકારે ઇન્ટરિમ બજેટમાં સેલેરીડ ક્લાસ, પેન્શનર્સ, સિનિયર સિટિઝન્સ અને નાના વેપારીઓને મોટો લાભ આપ્યો છે. વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક ટેક્સેબલ આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળશે અને તેઓએ કોઇ ટેક્સ નહીં આપવો પડે. જો કે, જેઓની ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ છે તેઓ આ છૂટ નહીં મળે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.