Abtak Media Google News

ભાજપે 2014માં ‘અચ્છે દિન આને વાલે હૈ’ અને 2019માં ‘ફિર એક બાર મોદી સરકાર’ ના નારા પર ચૂંટણી જીતી હતી

2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે લોકસભા ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. આ સ્લોગન છે ’તીસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર’.ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ ક્ધવીનર અને સહ ક્ધવીનર નક્કી કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

Advertisement

મંગળવારે, 2 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. ગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા તેવા સમયે જ આ નવું સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે.2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ’અચ્છે દિન આને વાલે હૈ’ નારો આપ્યો હતો. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી ’ફિર એક બાર મોદી સરકાર’ ના નારા પર લડી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની બંને ચૂંટણી જીતી હતી.

પીએમ મોદીએ તાજેતરના સમયમાં ઘણી વખત દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે જીતની હેટ્રિક લગાવશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2019માં બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. બાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને ડીએમકેએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન યોજાયું હતું અને 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.