Abtak Media Google News

ધર્મના નામે લોકોને છેતરનાર અને પોતાની જાતને ભગવાન ગણાવનાર બાબાઓની કોઇ કમી આપણા દેશમાં નથી. લોકોને તરેહ-તરેહની વાતો કહીને ગેરમાર્ગે દોરનારા બાબાઓનું હવે આવી બન્યુ છે. રામ રહેમની જગજાહેર કરતૂતો બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે નકલી અને પાખંડી બાબાઓનુ લિસ્ટ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. અખાડા પરિષદે બેઠક કરી ૧૪ પાખંડીઓને લોકોની સામે બેનકાબ કરી દીધા છે. ટૂંક સમયમાં જ આ ઢોંગી બાબાઓનુ લીસ્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે.

અખાડા પરિષદે કહ્યુ છે કે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યા બાદ પ્રજાને તરત જ અપીલ કરવામાં આવશે. કે તેઓઆ ૧૪ પાખંડી બાબાઓથી દૂર રહે. તમને જણાવી દઇએ કે આ લિસ્ટમાં કોનુ-કોનુ નામ નોંધાયેલુ છે. જેમાં પ્રથમ છે. આસારામ બાપુ, રાધે માં, સચિદાનંદ ગિરી, ગુરમીત રામ રહીમ, ડેરા સચ્ચા સિરસા, ઓમ બાબા, નિર્મલ બાબા, ઇચ્છાધારી ભીમાનંદ, અસીમાનંદ, ઓમ નમ: શિવાય બાબા, નારાયણ સાંઇ, રામપાલ, ખુશી મુનિ, બૃહસ્પતિ ગિરિ અને મલકાન ગિરિ આ ૧૪ પાખંડી બાબાઓથી દૂર રહેવા માટે લિસ્ટ જાહેર કરાયું છે.

– આસારામ બાપુ

પાખંડીઓની શ્રેણીમાં આસારામ બાપુનુ નામ સૌથી ઉપર છે. આસારામ બાપુનુ નામ સૌથી ઉપર છે. આસારામ પર મહિલાઓનુ યૌન શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. અને હાલ તે જેલમાં છે.

– ગુરમીત રામ રહીમ

હરિયાણાના ડેરા સચ્ચા સૌદાનો પ્રમુખ રામ રહીમ પણ રેપ કેસમાં સલાખોની પાછળ છે.

– રામપાલ બાબા

રામપાલ બાબા સામે દેશદ્રોહ અને હત્યા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો હેઠળ તે જેલમાં છે.

– નિર્મલ બાબા

નિર્મલ બાબા સામે લોકો સાથે ઠગાઇ કરવાઅને લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવા માટેના અનેક કેસો નોંધાયેલા છે. તે લોકોને સાજા કરવાના નામે પૈસા વસૂલે છે.

– ઓમ બાબા

આ સ્વામી ઓમ બાબા બિગ બોસ ના ટીવી શો થી ચર્ચામાં આવ્યો અને તે પછી તેના અનેક અશ્ર્લીલ વિડિયો સામે આવ્યા.

– ૧૩ અખાડાઓના સભ્યો

અખાડા પ્રમુખે જણાવ્યું છે કે આ લીસ્ટ જાહેર કરવા પાછળનો ઉદ્શ આ બાબાઓના કારોબારને બંધ કરવાનો છે. કારણ કે આ બાબાઓ માસુમ પ્રજા સાથે ધર્મના નામે ઠગાઇ કરે છે. અને તેમનુ શોષણ કરે છે. આ મોટી બેઠકમાં સમગ્ર દેશના ૧૩ અખાડાઓના બે-બે પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.