Abtak Media Google News

નાથદ્વારાથી દર્શન કરી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત: કંસારા પરિવારની અને ભત્રીજીના મોતથી શોક

સુરેન્દ્રનગર જીલ્લા ના હાઈવે પર અકસ્માતમાં દિન દાડે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના હાઈવે ઓ અકસ્માત ના કારણે ગોઝારા બન્યા છે.ત્યારે આજે ધાગધ્રા થી અમદાવાદ તરફ ઇનોવા કાર મા એક જ પરિવારના લોકો જઈ રહા હતા. ત્યારે ધાગધ્રા અમદાવાદ હાઇવે વચ્ચે આવેલ માલવણ ગામ

પાસે અચાનક ઇનોવા કાર ને અકસ્માત નડ્યો હતો. રાત્રિ દરમિયાન પસાર થતી ઇનોવા કાર અને સામે ટ્રેનકર બને ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માત મા ઘટના સ્થળે જ એકજ પરિવાર ના ત્રણ લોકો ના મોત નીપજ્યા હતા.

ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યો ના ઘટના સ્થળે મોત નિપજતાં પરિવાર શોક નો માહોલ સર્જાયો હતો.ત્યારે અકસ્માત મા મૃત્યુ પામેલ ત્રણ લોકો ની ડેડ બોડી Pm અર્થે હસ્પિટલમાં ખસેડવા મા આવીયા હતા.ત્યારે ઇઝા ગરસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે એક જ પરિવારના ના ત્રણ લોકોના મોત થી સમગ્ર પંથક મા શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.ત્યારે થાનગઢ નિવાસી  કંસારા યોગેશકુમાર રતિલાલ ના પુત્ર જયમીન (ચિમ્પું) ત્થા પુત્રવધુ નિધીબેન અને જયમીન ભાઈ ના સાળી શ્રીનાથજી ફરવા માટે ગયા હતા .અને પરત ફરતા માલવણ પાસે ઇનોવા કાર ને અકસ્માત નડ્યો હતો. ત્યારે ગાડી માં બેસેલ  જયમીન (ચિમ્પું) ત્થા પુત્રવધુ નિધીબેન અને જયમીન ભાઈ ના સાળી ના ર અકસ્માતે અવસાન થયું હતું.

ત્યારે જયમીનભાઈ ની ઉમર ૨૫ વરસ અને નિધિ બેન ની ઉમ્મર ૨૨ વર્ષ હોવા નું હાલ જાણવા મળી રહુ છે.હજુ બંને ના લગ્ન ને એક વર્ષ થયું છે.ત્યારે અકાળે આ બને ના અને તેમની સાળી નું મોત થતા લોકો માં શોક ની લાગણી વ્યાપી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.