Abtak Media Google News

તા. ૧૩.૧૦.૨૦૨૩ શુક્રવાર ,સંવંત ૨૦૭૯ ભાદરવા વદ ચતુર્દશી, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, બ્રહ્મ  યોગ,વિષ્ટિ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ)  : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–વિચિત્ર અને વિશિષ્ટ ડાઇવોર્સ કેઈસ સામે આવી રહ્યા છે

અત્રે લખ્યા મુજબ ઘણા વિચિત્ર અને વિશિષ્ટ ડાઇવોર્સ કેઈસ સામે આવી રહ્યા છે વળી ઘણા હાઈ પ્રોફાઈલ ડાઇવોર્સ કેઈસ પણ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ અકસ્માતોનું પ્રમાણ પણ અહીં લખ્યા મુજબ વધ્યું છે તથા યુદ્ધ તેના કાતિલ અંદાજમાં આગળ વધી રહ્યું છે અને વિશ્વની પ્રતિક્રિયાઓ બદલી રહી છે. આવતીકાલે શનિવારે અમાવાસ્યાની સાથે સાથે કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે જેમાં બુધ પણ લિપ્ત થાય છે જે વ્યાપાર વાણિજ્ય પર અસર કરનાર બને છે તો બીજી તરફ આ જ બુધ અનેક વેબ સાઈટ અને સોસીઅલ મીડિયાને હાનિ કરતું કે હેક કરતું કે ડાઉન કરતું જોવા મળશે વળી આ સમયમાં વાણીવિલાસ પણ મોટી માત્રા માં જોવા મળશે વળી અનેક સરકારો પોતાનું સ્ટેન્ડ ક્લીઅર કરવામાં અસમંજસ અનુભવશે. ઓક્ટોબરના અંતમાં આવી રહેલા ચંદ્રગ્રહણ સુધી પ્રવાહી પરિસ્થિતિ જોવા મળશે અને અમાસ થી પૂનમનો સમય જાણે એક મોટા પરિવર્તનનો બની રહેશે. જયારે જયારે આ રીતના ભારે ગ્રહણો પસાર થાય છે ત્યારે માનવજાત માટે સીમાચિહન રૂપ પાઠ મુકતા જાય છે  અને પરિવર્તનની એક નવી જ હવા અનુભવાય છે. શરૂઆતમાં ભયાનક લાગતી  ઘટનાઓ હકીકતમાં મોટા ફેરફાર કરવા આવતી હોય છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.