Abtak Media Google News

તા. ૧૯..૨૦૨૩ ગુરુવાર,

સંવંત ૨૦૭૯ પોષ વદ બારસ

નક્ષત્ર: જ્યેષ્ઠા  

 યોગ: ધ્રુવ

કરણ: ગર  

આજે બપોરે .૧૮ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ વૃશ્ચિક ( ,) ત્યારબાદ ધન (,,,) રહેશે.


મેષ (,,): આજે આ રાશીના જાતકોનો દિવસ શુભ. અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય.


વૃષભ (,,) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (,,): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો.

કર્ક (,): વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (,): નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા ( ,,): ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.  

તુલા (,): આજે આ રાશિના જાતકોનો દિવસ આર્થિક બાબતોમાં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (,): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.


ધન (,,,): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.


મકર (,): આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ ( ,,):વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.    

મીન (,,,): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી


સાધના માર્ગે શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ

બેંકોને સારા સમાચાર મળે એ મુજબ બેન્ક ઓફ ઇન્ડિયાનો નફાનો દર વધવા પામ્યો છે અને બુધ મહારાજ વ્યાપારમાં પણ સારું કરી રહ્યા છે જો કે ખપ્પર યોગ અને ગોચર ગ્રહોના કારણે વિશ્વ મંદીનો સામનો કરતું જોવા મળશે અને અત્રે લખ્યા મુજબ મોટી મોટી કંપનીઓના નફા પર એની અસર પડતી જોવા મળશે.

કેટલીક કંપની મર્જ થતી કે ડૂબતી જોવા મળશે અને ઘણી મોટી કંપનીઓમાં તેના કર્મચારીઓને છુટ્ટા કરવાનો દોર જારી રહેશે હજુ એપ્રિલ સુધી આ માહોલ જોવા મળશે. બીજી તરફ ગોચર ગ્રહોની  ચાલ પરથી લખ્યા મુજબ સમાજમાં આત્મઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે.

નકારાત્મક વિચારસરણી પણ સામે આવતી જોવા મળે છે. વધુ ને વધુ કુટુંબો વિભક્ત થતા જોવા મળે છે. આગામી શનિવારને ૨૧ જાન્યુઆરીના રોજ મૌની અમાસ, દર્શ અમાસ આવી રહી છે આ અમાસ શનિવારે આવતી હોય શનિ અમાવસ્યા બને  છે જેનું સાધના માર્ગે વિશેષ મહત્વ છે આ દિવસે શનિ અને ક્રૂર ગ્રહો માટે વિશેષ સાધના કરી શકાય છે.  

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.