Abtak Media Google News

ચંદ્રમા પોતાનું અમૃત તત્વ પૃથ્વી પર વરસાવશે

આસો સુદ પુનમને આવતીકાલે શરદપૂર્ણિમા છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાનું અમૃત તત્વ પૃથ્વી પર વરસાવશે.

શાસ્ત્રી રાજદીપ જોષીના જણાવ્યાનુસાર એક વર્ષમાં પુનમ આવે છે. તેમાં શરદ પુનમનું મહત્વ વધારે છે. શરદ પુનમનાં દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પુનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે.

શરદ પુનમને કોજાગરી પુનમ પણ કહેવામાં આવે છે. શરદ પુનમની સાંજે લક્ષ્મીપુજન, શ્રીયંત્રનું પુજન કરવું શ્રેષ્ઠ છે. તેનાથી નિર્ધનતાનો નાસ થાય છે. સાંજના સમયે ઘરે લક્ષ્મીજીના સિકકા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પુજન કરવું, સાકરવાળા દૂધનો તેના પર શ્રીશુકત બોલતા બોલાતા અથવા ઓમ મહાલક્ષ્ય નમ: બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.શરદ પુનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે અને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે.

મારો કર્યો ભકત જાગે છે કે આથી શરદ પુનમને કોજાગરી પુનમ પણ કહેવામાં આવે છે. શરદ પુનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ રુપી તેજ પૃથ્વી પર પાડતાં હોવાથી  અગાસીમાં રાત્રે સાકરવાળુ દુધ અને પૌવા થોડીવાર રાત્રે 1ર વાગ્યે મુકી અને તેનો પ્રસાદ લેવો તેનું મહત્વ વધારે છે. તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે. અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય.

શરદ પુનમની રાત્રે ચંદ્રનાં પ્રકાશમાં દોરો પહોવવાથી આંખોનું તેજ અને બળ વધે છે. આયુર્વેદમાં પણ શરદ પુનમનું મહત્વ વધારે છે. ધાર્મિક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પુનમની રાત્રે થઇ હતી. આથી શરદ પુનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભકિતનું મહત્વ પણ વધારે રહેલું છે. જયોતિષની દ્રષ્ટિએ જે લોકોનો ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ, વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જાપ પુજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે. શરદ પુનમનાં દિવસે સવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે. લક્ષ્મી પુજાનો સાંજનો શ્રેષ્ઠ સમય 6.10 થી 8.42 સુધી છે. શરદ પુનમની રાત્રે 1ર વાગયા સુધી અથવા આખી રાત્રીનું જાગરણ કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.