Abtak Media Google News

ગોકુલ પાર્ટી પ્લોટમાં ૧૦ યુગલો માંડશે પ્રભુતામાં પગલા

બાપા સીતારામ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૨૧ને રવિવારે નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ-૨, ઘંટેશ્ર્વર ગામ પાસે ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રીય લગ્નોત્સવ યોજાશે જેમાં ૧૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે.

લગ્નોત્સવમાં કરિયાવર તરીકે સોના-ચાંદીના ઘરેણા, ફર્નીચર, ઈલેકટ્રીક આઈટમો, કપડાની વસ્તુઓ, કટલેરી અને વાસણ સહિતનું આપવામાં આવશે. લગ્નોત્સવના યજમાન શાીજી તરીકે પ્રવિણભાઈ જોશી અને ‚પેશભાઈ તેરૈયા રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા પરાક્રમસિંહ આર.ગોહિલ-રામણકા, દિલીપસિંહ પી.જાડેજા-નાના ઈંટાળા, મહાવીરસિંહ એચ.વાઘેલા-વૌંઠા, સંદિપસિંહ એન.ગોહિલ-રામણકા, ‚દ્રરાજસિંહઆર.ગોહિલ-રામણકા, સહદેવસિંહ ડી.ઝાલા-માક, ચેતનસિંહ આર.ગોહિલ-રતનપુર, ધર્મરાજસિંહ વાય.ઝાલા-માક, વિજયસિંહ સી.જાડેજા-જામગઢકા, મહિપતસિંહ એન.ચુડાસમા-ભાયાવદર, નીકુલસિંહ આર.ઝાલા-ઉખરલા, પ્રતીપાલસિંહ જી.ચુડાસમા-પીપળી, અજયસિંહ પી.પરમાર-મુળી, કૃષ્ણસિંહ એલ.ઝાલા-સમલા, પ્રધ્યુમનસિંહ એચ.વાઘેલા-વૌંઠા, જયપાલસિંહ આર.ગોહિલ-રતનપુર, યશપાલસિંહ જે.જાડેજા-શાપર-મોરબી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.