Abtak Media Google News

ભાજપી જમાતે ગુજરાતમાં કોરોના ફેલાવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે: કોંગી કોર્પોરેટરોનો સનસનીખેજ આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું છે કે, અખબારી યાદી જણાવે છે કે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સ્વાગત રેલીમાં જોડાયેલા તમામ હોદ્દેદારો, કાર્યકરો, પાસેથી તંત્ર દંડ વસુલે તેવી રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવેલ છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા જે ગુન્હો કર્યો છે,  સરકારી તંત્રએ ગુજરાતના ગરીબ – નિર્દોષ લોકોને માસ્કના નામે ઉધરાવેલ પૈસા પાછા આપે તેવું વશરામભાઈ સાગઠીયા અને મનસુખભાઈ કાલરીયાએ માંગણી કરી છે. વધુમાં ભાજપના કાર્યકરો તરીકે વર્તતા પોલીસ અધિકારીઓ વહીવટી અધિકારીઓ આવા પાપના ભાગીદાર ન બને એવી ચેતવણી પણ આપી છે ગુજરાતમાં હાલ કોરોના વિસ્ફોટ થયો છે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે ઉપરાંત સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા મોતના તથા સંક્રમીતોના આંકડા છુપાવે છે જે ઘોર નિંદનીય છે ભાજપ સરકારને શરમનો છાંટો હોય તો હવે પક્ષની વાહવાહીમાંથી ભાર નીકળીને કોરોના તથા અન્ય રોગચાળા કાબુમાં લેવા ત્વરિત પગલા ભરે તેવી વશરામભાઈ સાગઠીયા અને મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.