- મની વેલના કુંડામાં બરફનું પાણી અથવા ટુકડા નાંખવાથી વેલ જલદીથી વધશે.
- આંજણ પ્રસરી જાય એવું ઢીલું થઇ ગયું હોય તો ફ્રીજમાં રાખવું.
- નેઇલ પોલીશ જામી ગઇ હોય તો તેમાં ત્રણ ટીપાં સ્પીરીટ ઉમેરવું. ફરીથી વાપરવા યોગ્ય થઇ જશે.
- ઉનના કપડામાં લવીંગ રાખવાથી આખું વર્ષ જીવાત રહિત રહી શકશે.
- શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લપેટીને તેના ઉપર વાસણ ઉંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઉઠશે અને છ માસ સુધી ઉંટકવાની જરુર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિં.)
- બટાકાને બાફયા પછી એના વધેલા પાણીથી સોનાના ઘરેણાં ધોવાથી ઘરેલાં એકદમ ચમકી ઉઠશે.
- ટેબલ કે કબાટના ખાનાઓમાં કાટ લાગ્યો હોય તો એને પહેલાં કાચ-કાગળી ઘસી લો. પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિં લાગે અને જલદી ખૂલી પણ શકશે.
- દહીંવડા બનાવતી વખતે પીસેલી મગની દાળ અને અડદની દાળમાં એક ચમચો મેંદો નાંખવાી દહીંવડા સરસ બનશે.
- ટીનની ડોલમાં પાણીનો મેલ જામી ગયો હોય તો કાચ કાગળ ઘસી નાંખો. મેલ નીકળી જશે.
- સાડી, ડ્રેસ પર ઝાંખુ પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા તેના ઉપર ફટકડીનો ભૂકો ઘસો.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા