Abtak Media Google News

Table of Contents

લગભગ 95 ટકા પ્રસૃતિ કોઇ ખાસ તકલીફ વગર નોર્મલ જ થાય છે, માત્ર પ ટકા મહિલાઓને જુદી જુદી તકલીફ થાય છે: શિશુની સંવેદનાનો વિકાસ શરૂ થાય બાદ ગર્ભાશયમાં બાળક હેડકી અને બગાસા પણ ખાઇ શકે છે: પહેલા કરતાં આજના યુગની સગર્ભા મહિલાઓ ઓછી કાળજી લે છે.

આ ગાળા દરમિયાન જરૂરી આરામ અને વ્યાયામ કરવો જરુરી: આજના યુગમાં પ્રથમ માસથી જ ગાયનેક ડોકટરની સલાહ મુજબ દિનચર્યાને ખોરાક પ્રત્યે વિશેષ કાળજી લેવી: આજે નોર્મલ ડિલીવરી કરતાં સિજેરીયનથી બાળકોનો જન્મ વધુ થાય છે.

પ્રસુતિના ત્રણ માસ વિવિધ લોહીની તપાસ, સોનોગ્રાફી અને સાતમે માસે ખોડખાંપણનો ટેસ્ટ કરાવવો જરૂરી: બહુ તકલીફ ન હોય તો પણ દર મહિને ગાયનેક ડોકટરને બતાવવું હિતાવહ છે: સામાન્ય રીતે બધી દવા માતાના લોહીમાં ભળતી હોવાથી પ્રારંભના બે-ત્રણ મહિના સુધી ડોકટરી સલાહ વગર દવા ન લેવી.

આજે ઘણા લોકો વાત કરે છે કે પહેલા તો ડિલીવર નોર્મલ થતી આજે તો સિજેરિયનથી બાળકોનો જન્મ થાય છે. સાવ સામાન્ય સમજ જોઇએ તો પહેલા ની જીવનશૈલી ખોરાક વિગેરે જુદા હતા જે આજે જુદા છે. પહેલા તો મહિલાઓ બધું કામ હાથે જ કરતા ને વાહનો ન હોવાથી ચાલવાનું હતું તેથી પણ સગર્ભાવસ્થામાં બહુ જ ઓછી મુશ્કેલી પડતી હતી. આ બધાથી ઉલ્ટી લાઇફ સ્ટાઇલ, બેઠાડુ જીવન અને ખોરાકમાં ફેરફાર હોવાથી મુશ્કેલી પડી રહી છે. એક વાત નકકી છે કે પહેલા કરતાં આજના યુગની સગર્ભા મહિલાઓ તકેદારી ઓછી લે છે. આ ગાળા દરમ્યાન ખોરાકની જેટલી કાળજી વધુ તેટલું બાળક તંદુરસ્ત પહેલા ઘરે દાયણ કે સુયાણી ઘરે જ ડિલીવરી કરાવતા. આજના યુગ કરતાં ત્યારે બાળ મરણનું પ્રમાણ વિશેષ હતું. દર્દ રહીત પ્રસૃતિ માટે ડોકટરની સલાહ ખુબ જ મદદરુપ થાય છે.

લગભગ 95 ટકા પ્રસૃતિ કોઇ ખાસ તકલીફ વગર નોર્મલ જ થાય છે. માત્ર પ ટકા મહિલાઓને જુદી જુદી તકલીફ પડે છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં બધા જ પ્રકારની સુવિધા ગાયનેક હોસ્પિટલમા ઉપલબ્ધ હોય છે. આજના યુગમાં લગભગ 99 ટકા લોકો પ્રથમ માસથી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન તળે જ આ નવ માસનો ગાળો ટ્રીટમેન્ટ પૂર્ણ કરે છે. સરકારી હોસ્પિટલમાં પણ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ હોય છે. કોર્પોરેશનના હેલ્થ સેન્ટરોમાં તો આનો આખો વિભાગ મમતા કેન્દ્ર હોય છે. જેમાં તેનો સ્ટાફ સ્થળ વિઝિટ કરીને જરુરી માર્ગદર્શન અને દવા પણ વિનામૂલ્યે આપે છે.

ડિલીવરી સમયે પડતી તકલીફમાં કસુવાવડ થવી લોહીનું દબાણ વધી જવું, આંચકી આવવી, લોહી વધારે પડવું (ડિલીવરી પહેલા કે પછી) ફેફસામાં લોહીની કે દસીયાના પાણીમાં ગાંઠ અટકી જવાથી હ્રદય બંધ પડી જવું કે મરી જવું, બાળક આડુ કે ઉંઘુ હોવું જેવી વિવિધ સમસ્યાઓ આવે છે. જો કે આની ટકાવારી માત્ર પાંચ ટકા જ છે. આવા સમયે નિષ્ણાંત ડોકટરની સારવાર જરુરી છે કારણ કે જીવનું જોખમ રહે છે. પ્રસૃતિ થયા બાદ 1પ થી 30 દિવસમાં કોર્પોરેશનમાંથી બાળકના જન્મનું પ્રમાણપત્ર હોસ્પિટલનું કાર્ડ બતાવી મેળવી લેવું જરુરી છે. વિશેષ સાવચેતીમાં આ ગાળા દરમ્યાન પેટનો ફુલાવો અટકાવવા નિયમિત કસરત કરવી જરુરી છે. સ્તનમાં દુ:ખાવો, તાવ કે દુધનો ભરાવો થાય તો તાત્કાલીક ડોકટરનો સંપર્ક સાધવો.

આ માહીતી સાથે મેનોપોઝ વિશે દરેક મહિલાએ જાણવું જરુરી છે. મોનોપોઝ 40 વર્ષ પછીની સ્ત્રીની અવસ્થા છે. માસિકની અતિયમિતતા, શરીરમાં એકા એક ગરમી લાગવી, પરસેવો થવો, છાતીમાં ધબકારા થવા, બાથરુમ વારંવાર જવું કે પેશાબ પર કાબુ ઓછો થવો, સફેદ પાણી પડવું કે યોનીમાં ખુજલી, બળતરા થવી જાતિય સંબંધ વખતે દુ:ખાવો થવો, માથુ, શરીરને સાંધાનો દુ:ખાવો, ડિપ્રેશન નર્વસનેશ, ટેન્સન, ક્રોધ, ગુસ્સો આવવો, રાત્રે ઊંઘ ઓછી આવવી, યાદશકિત ઓછી થવી જેવી તકલીફો જોવા મળે છે. આ માટે આજના યુગમાં મેનોપોઝ કલીનીક ની શ્રેષ્ઠ સુવિધા હોય છે તો તેનો સંપર્ક કરવો.

પ્રસૃતિના ત્રણ માસ વિવિધ લોહીની તપાસ, સોનીગ્રાફી અને ખોડ ખાંપણનો ટેસ્ટ કરાવવો જરુરી છે. બહુ તકલીફ ન હો તો પછી દર માસે ગાયનેકને બતાવવું હિતાવહ ે. સાત મહિના બાદ દર 1પ દિવસે ચેક-અપ ખુબ જ જરુરી બને છે. છેલ્લા મહિને તો દર વિકે બતાવવુ પડે છે ખાસ આ ગાળા દરમ્યાન સગર્ભા  મહિલા એ પોતે ખોરાક સાથે ઘણી બધી સાવચેતી સાથે દિનચર્યા પાળવી પડે છે જે તેના બાળક માટે ઉપયોગી છે. આજે તો ગર્ભાધાન સંસ્કાર પણ અપાય છે. તો આવી મહિલાઓ માટે યોગા- ઘ્યાન જેવી અલગ બેંચ પણ શરુ થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન રાજ થોડું ચાલવું, હળવી કસરત કરવી, શરીર સશકત રાખવું, ખોરાકમાં લીલાશાકભાજી, દુધ, ફ્રુટ, શીંગ, દાળીયા, ગોળ, ખજુર, અંજીર, બીટ અને કઠોળ વધારે લેવા કાચુ મીઠું ઉપયોગમાં ન લેવું, આ ગાળા દરમ્યાન માથાનો દુ:ખાવો, લોહીનો સ્ત્રાવ, સોજા આવવા, પાણી પડવું, બાળકનું ફરકવું ઓછું થવું, આંખે અંધારા આવવા, પેશાબ ઓછો થવો, શ્ર્વાસ ચઢવો, ખેંચ આવવી જેવા સંજોગોમાં તાત્કાલીક ડોકટરનો સંપર્ક સાધવો. આ ગાળા દરમ્યાન હિમોગ્લોબીન, ગુપ્તરોગ, કમળો, એચ.આઇ.વી. યુરીન બ્લડ, સુગર જેવી વિવિધ તપાસ પણ કરાવવી પડે છે. આજની દરેક મહિલાની સતત મેડીકલ દેખરેખ સાથેની નોંધ અને બાળકના વિકાસની નોંધ તેની ફાઇલમાં જોવા મળે છે.

ગર્ભવતી મહિલા પોતાનું રોજીદુ કાર્ય કરી શકે છે પણ ભારે વજન ઉચકવાનું કે ભારે કસરત કરવાનું હિતાવહ નથી. સામાન્ય રીતે 8 કલાકનો આરામ સાથે બપોરે બે કલાકનો આરામ જરુરી છે. આ ગાળા દરમ્યાન કસરત ના વિવિધ ફાયદામાં માનસિક સંતોષ, મન આનંદિત રહે, પ્રસુતિ માટે શરીરને તૈયાર કરે, દુ:ખાવામાં રાહત આપે છે. આ ગાળા દરમ્યાન વ્યસનમુકિત રહેવું ખાસ જરુરી છે. સામાન્ય રીતે બધી જ દવાઓ માતાના લોહીમાં ભળતી હોવાથી પ્રારંભના બે થી ત્રણ મહિના સુધી તેનું બાળક એમ બન્નેનું ઘ્યાન રાખવું પડે છે. અમુક રસીઓ માતા માટે જરુરી હોય પણ બાળક માટે હાનીકારક હોય છે. સૌથી અગત્યની રસી ધનુરવા વિરોધી રસી છે. જેના બે ડોઝ એક થી દોઢ માસના અંતરે મુકવામાં આવે છે.

દરેક અઠવાડીએ શિશું વિકાસ પામે છે !!

દરેક મહિલાના જીવનમાં આ સમય રોમાંચ સાથે આનંદનો ઉત્સવ છે. તેમનામાં આકાર લઇ રહેલા એક નવા જીવનની લાગણી અવર્ણનીય છે. પ્રથમ ત્રણ માસના ગાળામાં નાની મોટી તકલીફમાં નબળાઇ, ચકકર આવવા, છાતીમાં બળતરા કે કબજીયાત રહે છે પણ બાદમાં બધુ જ નોર્મલ થઇ જાય છે. ગર્ભસ્થ શીશુ ધીમે ધીમે વિકાસ પામતું જાય છે, તેના કાન, સ્વરતંતુ, વાળ, નખ, આંખો, સ્નાયુઓ વિગેરે બનવાનું શરુ થઇ જાય છે. કાનના વિકાસ બાદ હળવું ંગીત સાંભળવું જરુરી છે આ ગાળા દરમ્યાન પ્રેરણાત્મક વાંચન કરવું પ્રથમ માસથી ખોરાકી કાળજી જરુરી છે. પોષ્ટિક આહાર, દુધ, ભાત, નાળિયેરનું પાણી, ભાતનું ઓસામણ, ખીર અને ઘી લેવા ખુબ જ ફાયદાકારક છે. શિશુના હલન ચલનથી સેન્સેશનનો અનુભવ સાથે શરીરમાં મુખ્યત્વે અંત: સ્ત્રોવોમાં ફેરફાર થવાથી મૂડમાં પરિવર્તન કે લાગણીના ઉભરા આવે છે. શિશુ ની સંવેદનના ઓના વિકાસ બાદ તે બગાસા કે હેડકી પણ ખાય છે.

બાળકનું ફરકવું ઓછું થાય તો તાત્કાલીક ડોકટરનો સંપર્ક કરવો

પ્રસૃતિના ગર્ભાધાન ગાળામાં માથાનો દુ:ખાવો લોહીનો સ્ત્રાવ, સોજો આવવો, પાણી પડવું, બાળકનું ફરકવું ઓછું થવું, આંખે અંધારા આવવા, પેશાબ ઓછો થવો, શ્ર્વાસ ચઢવો, ખેંચ આવવી જેવા સંજોગોમાં તાત્કાલીક ડોકટરનો સંપર્ક સાધવો. આ ગાળા દરમ્યાન હિમોગ્લોબીન, ગુપ્તરોગ, કમળો, એચ.આઇ.વી., યુરીન, બ્લડ, સુગર જેવી તપાસ કરાવવી અતિ જરુરી છે. આજની દરેક મહિલાની ફાઇલમા: નિયમિત મેડીકલ દેખરેખની નોંધ અને બાળકના વિકાસની નોંધ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.