દાંડિયા આમ તો સામાન્ય દાંડી જ છે જેનો ઉપયોગ માત્ર નવરાત્રી પૂરતો જ કરવામાં આવે છે તે પછી તો તે માળીયામાં ‘ઘા’ ખાય છે જો કે દાંડિયા પૌરાણિક કાલથી ચાલતા આવ્યા છે. જેનો સૌ પ્રથમ વખત ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે, એ પછી તો બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ તેમજ ભાગવતમાં પણ દાંડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જ પૌરાણીકનું સમયથી જ દાંડિયા થાક્યા વગર રાસ લેતા આવે છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર પાસેની બાઘ ગુફામાં ચોથી અને પાંચમી સદીના કેટલાક ભીંતચીત્રો મળી આવ્યા છે જેમાં દાંડિયાનું પણ ચિત્ર છે. દાંડિયાના માપ-સાઇઝનું પ્રકાર વિશે લેખન ઇતિહાસના વિવિધ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧૬મી સદીના પંડિત પુંડરિક વિઢ્લે લખ્યુ છે દાંડિયા અંગુઠા જેટલા જાડા, સોળ ઇંચ લાંબા, ગાંઠ વગરના, આકારમાં સીધા હોવા જોઇએ. પરંતુ હવે તો ફેન્સી સ્ટિલનાં દાંડિયા પણ બજારમાં મળે છે.
Trending
- Googleએ 200 જેટલા કર્મચારીઓને કર્યા નવરા!
- ચારધામ યાત્રા પહેલા હિમવર્ષા: ચાંદીની જેમ ચમક્યા બદ્રીનાથ ધામના શિખરો
- એકલા મુસાફરી કરતી વખતે આ ભૂલો ન કરો
- લોકતંત્રનો ભાગ્યવિધાતા “મતદાતા”
- જર જમીન ને જોરૂ : ગઈકાલે, આજે કે આવતીકાલે પણ ‘કજિયાના’ છોરૂ જ ગણાશે !
- 3૮ વર્ષ પહેલા રાજકોટ મોકલવામાં આવી હતી પહેલી ‘વોટર ટ્રેન’ જુઓ ઐતિહાસિક તસવીરો
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન