Abtak Media Google News

ભ્રષ્ટાચારના રાક્ષસને નાવા સરકારનું સરાહનીય પગલું : કોંગ્રેસના વિરોધની ચોમેર ટીકા

બીન ખેતીની પ્રક્રિયામાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાી રાજ્ય સરકાર દ્વારા બીન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે. જીલ્લાના સનદી અધિકારીને સત્તા સોપવામાં આવી છે. ઓનલાઈન પ્રક્રિયા તા જ કોંગ્રેસની દુકાનને અલીગઢી તાળા લાગી ગયા છે માટે કોંગ્રેસ વિરોધ દર્શાવી રહી છે. બીન ખેતીની નવી સિસ્ટમ આવકાર લાયક છે પણ કોંગ્રેસને ખુચે છે. સરકારનો નિર્ણય આવકાર લાયક છે. કોંગ્રેસના ડીંડકને લોકો હવે ઓળખી ગયા છે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે નિવેદનમાં જણાવ્યું છે.

બીન ખેતીના નવા નિયમ અંગે કોંગ્રેસ સમિતિએ કરેલા વિરોધને આડે હાથે લેતાં ઉદયભાઈ કાનગડે કહ્યું છે કે, બીન ખેતીની પ્રક્રિયા જીલ્લા પંચાયત હસ્તક થતી હતી. પરંતુ જીલ્લા પંચાયતમાં બીન ખેતી માટે ઘણા દિવસો સુધી પ્રક્રિયા થઇ રહી હતી પરિણામે દિવસો અને દિવસો સુધી હુકમ થતા નહી, અરજદાર એક ટેબલી બીજા ટેબલ સુધી દોડા દોડી કરતો હોય. ટેબલ પર નાણાકીય લેવડ દેવડની પતાવટ થાય પછી જ બીન ખેતીની ફાઈલને મંજૂરીની મોહર લગતી હતી. ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ બીન ખેતીની ફાઈલ હોય અરજદાર પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે સનિક કક્ષાએ અવનવા પેતરા અજમાવાતા હતા. ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયેલી બીન ખેતીની પ્રક્રિયાને જળમૂળી ઉખેડી નાખવા સરકાર દ્વારા જૂની પધ્ધતિ રદ્દ કરી નવી પધ્ધતિ અપનાવી છે.

ઉદયભાઈ કાનગડે વધુમાં કહ્યું છે કે, બીન ખેતીની વર્ષો જૂની પ્રક્રિયા સમાપ્ત કરવામાં આવી છે અને હવે બીન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે. બીન ખેતીની તમામ પ્રકારની કાર્યવાહી જીલ્લાના સનદી અધિકારીને સુપ્રત કરવામાં આવી છે. અને આ પ્રક્રિયાનો ઝડપભેર અમલ ઇ રહ્યો છે. સરકારનો નિર્ણય આવકાર લાયક છે, સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. પરંતુ કોંગ્રેસની હાલતી ચાલતી દુકાનને અલીગઢી તાળુ લાગી જતા વિરોધનું નાટક કરે છે. કોંગ્રેસને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. લોકો હવે કોંગ્રેસના ભ્રષ્ટાચારી ચહેરાને ઓળખી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.