Abtak Media Google News

પ્રદેશ ભાજપ મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલ ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કર્યું હતુ આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ મેયર બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર સહિતનાએ મનસુખભાઈ માંડવીયાને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

આ તકે મનસુખભાઈ માંડવીયાએ નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનુયં પાટનગર ગણાય છે. ત્યારે રાજકોટના રહીશોને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત ધથાય તેમજ સ્માર્ટ સીટી તરીકે રાજકોટને સ્થાન મળ્યું છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટ મેગાસીટી બને તે માટે ભાજપના શાસકોને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.