Abtak Media Google News

રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરનારનું આવી બનશે!

છેલ્લા પાંચ વર્ષમાં દેશના અનેક રાજ્યોમાં થયેલા પ્રદર્શનો દરમિયાન મોટાપાયે હિંસા અને અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે : આ નુકસાની નું વળતર વસૂલવા આજ દીન સુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કરીને ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલાથી ભારતમાં શરણ લઇ રહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાની અને બાંગ્લાદેશના હિન્દુ સહીત છ ધર્મના બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. જે સામે દેશભરમાં ઉગ્ર દેખાવો થયા હતા. આ દેખાવો દરમ્યાન અનેક સ્થાનો પર મોટા પ્રમાણમાં તોફાનો હિંસા થવા પામી હતી. આ તોફાન દરમ્યાન અબજો રૂપિયા ની જાહેર સરકારી મિલ્કતો ને નુકશાન થવા પામ્યું હતું. આ તોફાનો દરમ્યાન ઉત્તરપ્રદેશમાં પણ ભારે નુકશાની થવા પામી હતી. જેથી,યોગી સરકારે આવા તોફાન કરનારા તત્વોને ઓળખી કાઢીને તેમની પાસેથી નુકશાનનું વળતર વસુલવાનો નિર્ણય કર્યો છે. જેથી તોફાનીઓ પાસેથી સરકારી મિલ્કતોને થયેલા નુકશાનનું વળતર વસુલવાનો નિર્ણય કરનારુ ઉત્તરપ્રદેશ દેશનું પ્રમ રાજ્ય બન્યું છે.

7537D2F3 1

ઉત્તર પ્રદેશ સરકારે વિરોધ દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન કરનારા વિરોધ કરનારાઓની ઓળખ કરવાનો અને તેમની પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. વિરોધપક્ષો પાસેથી દંડ વસૂલવાના રાજ્ય સરકારના આ નિર્ણયની ભારે ચર્ચા થઈ રહી છે. અગાઉ, ડેરા સચ્ચા સૌદાના ટેકેદારોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે પણ તોફાનીઓને દંડ ફટકાર્યો હતો.પંજાબ સરકારે અદાલતના આદેશનું પાલન કરતાં જાહેર સંપત્તિને થયેલા નુકસાનના નુકસાનની વસૂલાત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશના જુદા જુદા રાજ્યોમાં તોફાની તત્ત્વોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને કોઈ કાર્યવાહી કર્યા વિના ફરાર થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૬માં હરિયાણામાં જાટ અનામત વિવાદને લઇને ભારે હોબાળો થયો હતો. હિંસક પ્રદર્શનમાં આશરે ૩૦ લોકોનાં મોત થયાં. આ દેખાવોમાં, જાહેર મિલકતોને આગ લગાવવાથી અને તોડફોડથી નુકસાન થયું હતું. એક અહેવાલમાં મુજબ આ તોફાનોમાં રૂપિયા ૧૮૦૦ થી ૨૦૦૦ કરોડની અંદાજિત જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું છે. આ દેખાવોમાં ૨૧૦૦ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને સોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.તત્કાલીન હરિયાણા સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તાકીદ કરી હતી કે સંપત્તિના નુકસાનની ભરપાઇ વિરોધીઓ દ્વારા કરવામાં આવશે, પરંતુ હજુ વસુલાત થઈ નથી. ઓગસ્ટ ૨૦૧૭ માં, ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ હરિયાણામાં ભારે હોબાળો મચાવ્યો હતો. સીબીઆઈની વિશેષ અદાલતે ૨ મહિલાઓ સાથે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષી ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાના વિરોધમાં સમર્થકોએ ભારે હિંસા કરી હતી અને માત્ર પંચકુલામાં જ ૧૨૬ કરોડની સંપત્તિને નુકસાન થયું હતું. જેથી કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ટેકેદારો દ્વારા થતા નુકસાનના વળતર સુધી ડેરા સચ્ચા સૌદાની સંપત્તિ સીલ કરી દેવી જોઇએ. હાલમાં આ કેસ ચાલી રહ્યો છે.

૨૨ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના સમર્થનમાં દલિતોએ જોરશોરથી વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં એકલા ગોવિંદપુરીમાં ૧૪ કાર સળગાવી દેવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, વકીલોએ તીસ હજારી કોર્ટમાં ૧૩ પોલીસ વાહનોને આગ ચાંપી હતી. પાર્કિંગને લઈને તોડફોડ કરવામાં આવતા વકીલો અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. સાકેત કોર્ટ પરિસરમાં પણ આવી જ હિંસા કરવામાં આવી હતી, પરંતુ આ મામલામાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. નાગરિકત્વ કાયદાના વિરોધમાં જામિયા નગર અને મથુરા રોડ પર વિરોધ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. દિલ્હી પોલીસે હાઈકોર્ટનો તાકીદ કરી હતી કે, પ્રદર્શન દરમિયાન સંપત્તિને નુકસાન થયું છે, તેનું મૂલ્યાંકન થવું જોઈએ. ગુજરાતમાં ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન માત્ર ૩ દિવસમાં ૬૬૦ સરકારી વાહનો અને ૧,૮૨૨ જાહેર મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ  કામગીરીમાં થયેલા નુકસાનને વસુલવા માટે કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી પણ બે અઠવાડિયામાં પાછો ખેંચી લેવામાં આવી હતી.

7537D2F3 1

રેલ્વેનો અંદાજ છે કે એકલા બંગાળમાં નાગરિકત્વ કાયદા સામે હિંસક પ્રદર્શનમાં ૮૦ કરોડનું નુકસાન થયું છે. ચાર દિવસમાં, વિરોધીઓ દ્વારા રેલવેની સંપત્તિને ૮૦ કરોડનું નુકસાન થયું હતું. ચાર દિવસમાં, વિરોધીઓ દ્વારા રેલવેની સંપત્તિને ૮૦ કરોડનું નુકસાન થયું હતું. પશ્ચિમ બંગાળ સરકારના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં ૬૪ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ૯૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટ પણ આ કેસમાં ૬ જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી છે. ૩ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ઓરિસ્સાના પુરીમાં જગન્નાથ સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં થયેલી હિંસામાં લગભગ ૨૦ કરોડની સંપત્તિને નુકસાન થયું હતું. ત્યારબાદ પોલીસે વિરોધીઓને રેલી કાઢવાની મંજૂરી આપતા પહેલા બોન્ડ્સ પર સહી કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કેન્દ્ર સરકારના રોજગાર ભવિષ્ય નિધિ અધિનિયમનો કર્ણાટકની ગારમેન્ટ ફેક્ટરીના કામદારોએ આકરો વિરોધ કર્યો હતો. એપ્રિલ ૨૦૧૬ માં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં પોલીસ વાહનો અને બસો સહિતના લગભગ ૧૫ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તે જ વર્ષે ૧૨ સપ્ટેમ્બરે એક પ્રદર્શનમાં ૩૦ બસોને નુકસાન થયું હતું. રાજ્ય સરકારે આ મામલે ન તો કોઈ કેસ નોંધ્યો છે. તો નુકસાનની વળતર ભરપાઈ કરવાનો  પ્રયાસ કરવામાં આવ્યો છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવા કેરળમાં હિંસક દેખાવો થયા હતા. જેમાં રાજ્ય સરકારની ૪૯ બસો સળગાવવામાં આવી હતી. આવા હિંસક વિરોધ જિલ્લાના અન્ય ભાગમાં પણ થયા હતા. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અનેક લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ નુકસાનની ભરપાઇ માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.૨૦૧૧ માં કેરળ હાઈ કોર્ટે કહ્યું હતું કે જો પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન થાય છે, તે રકમ જામીન બોન્ડના રૂપમાં આરોપીને ચૂકવવી જોઇએ.

આસામમાં તાજેતરમાં નાગરિકત્વ કાયદા સામે યેલા પ્રદર્શનો દરમિયાન ગુવાહાટી અને દીબ્રુગઢમાં તોફાનો યા હતા. જેમાં અનેક સરકારી સંપતિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ નુકશાની અંગે ભાજપની સોનોવાલ સરકારે પુરાવા મળ્યા બાદ તોફાનીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. રાજસનમાં પણ નવેમ્બર ૨૦૧૭માં પદમાવત ફિલ્મ સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં ગુર્જર અનામત આંદોલન દરમિયાન પણ મોટાપ્રમાણમાં હિંસા અને તોફાનો થયા હતા જે દરમિયાનમાં મિલક્તોને નુકશાનની વળતર હજુ સુધી વસુલવામાં કોઈ જ કાર્યવાહી થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.