Abtak Media Google News

જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે.  કોઈપણ સ્ત્રી સૌથી પહેલું મહત્વ ચહેરાની સુંદરતાને આપતી હોય છે. ચહેરાની સંભાળ માટે દિનચર્યામાં પેલું કાર્ય એ ચહેરો ધોવાનું છે. ત્વચાને નિખારવા માટે વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેની સાથે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે ચહેરો ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે ચોખાના પાણીનો ઉપયોગ કરશો તો તમને આશ્ચર્યજનક પરિણામો મળશે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા છે. અહીં જાણો ચોખાના પાણીથી ચહેરો ધોવાના ફાયદા અને ચહેરો કેવી રીતે ધોવો.ચોખાના પાણીમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ત્વચાને પોષણ આપવાની સાથે સાથે પિમ્પલ્સ, ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવીને ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

7

ચોખાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો

તમારા ચહેરાને ચોખાના પાણીથી ધોવા માટે, એક કપ ચોખા લો, તેને સારી રીતે ધોઈ લો, પછી આ ચોખાને એક ગ્લાસ પાણીમાં નાખો અને લગભગ અડધા કલાક સુધી પલાળી રાખો. હવે ચોખાને ગાળી લો અને આ પાણીથી ચહેરો ધોઈ લો. તમે આ પાણીને આથો બનાવીને પણ વાપરી શકો છો.ચોખાના પાણીનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

6

– ચોખાના પાણીથી ફેસ પેક તૈયાર કરી શકાય છે. આ માટે તમે ફેસ પેક બનાવતી વખતે આ પાણીનો ઉપયોગ કરી શકો છો.

-તેનો ઉપયોગ ફેસ સીરમ તરીકે પણ કરી શકાય છે. આ માટે ચોખાના પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેને સીરમની જેમ લગાવો.

-આ પાણીને તમે ટોનર તરીકે પણ લગાવી શકો છો. આ માટે ચોખાના પાણીમાં કપાસ પલાળી રાખો અને પછી તેને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો અને ચોખાના પાણીથી ચહેરો ધોવાના ફાયદા.

8

– ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે તે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. રોજિંદા ઉપયોગથી ગ્લોની સાથે સાથે ડાર્ક સ્પોટ્સ પણ ઓછા થાય છે.

– ચોખાના પાણીમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. જે અકાળે વૃદ્ધત્વના સંકેતો જેમ કે ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઘટાડે છે.

4

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.