Abtak Media Google News

ઇલાયચીના ડ્રિન્કથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.    સૌથી પહેલા ઇલાયચીનો પાઉડર બનાવી લો. ત્યારબાદ ઇલાયચી પાઉડરને પાણીમાં નાંખીને ગરમ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ ભેળવી લો. ત્યારબાદ આ ડ્રિન્કને ફ્રીઝમાં રાખી દો. રોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી ઇલાયચીનું ડ્રિન્ક ઉમેરીને પીઓ.   ઇલાયચીનું ડ્રિન્ક પીવાના ફાયદા:    – આ ડ્રિન્ક પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે.  – આ ડ્રિન્ક હૃદયની બિમારીથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. કારણ કે આ ડ્રિન્કના પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.  – ઇલાયચીના ડ્રિન્કનું સેવન કરવાથી ગરમીની અસર પણ ઓછી થાય છે.  – ત્વચા સંબંધી કેટલીય સમસ્યાથી છૂટકારો મળે છે.  – ઇલાયચીમાં એન્ટ્રીઇંફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.