સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે નોવેલ કોરોના વાયરસનો એક-એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. તે મુજબ જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા ગામના દલિતવાસના ૫ ઘરોની ૧૯ની વસ્તીના અને નગવાડા ગામના ઠાકોરવાસના ૭ ઘરોની ૧૮ની વસ્તીના વિસ્તારને તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે મેલડીમાના મંદીરની આસપાસના મેઈન રોડ વિસ્તારના ૪ ઘરોની ૧૧ની વસ્તીના સમગ્ર વિસ્તારને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે તથા આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.
Trending
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત