Abtak Media Google News
  • સોમવારથી નવી સુવિધાનો આરંભ: ઓનલાઈન ટિકિટ બૂકીંગની પણ વ્યવસ્થા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં લોકો   માટે  સારા સમાચાર મળી રહ્યા છે. આગામી સોમવારથી અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી આવવા જવા માટે એસટી  નિગમ દ્વારા નવી  વોલ્વો બસ સેવા  શરૂ કરવામાં આવશે.

Advertisement

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ  રહે છે. એસ.ટી નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં  આવ્યા છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર 5 ફેબ્રુઆરીથી  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ  કરવામાં આવશે.

” અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી રાજકોટ જવા સવારે 6:00 કલાકે વોલ્વો ઉપડશે જયારે  રાજકોટ થી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવા સાંજે 17:00 કલાકે  બસ ઉપડશે.

” અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ પોટા કેબીન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસનું એરાઈવલ તથા ડિપાર્ચર થશે, બસ અમદાવાદ એરપોર્ટ થી વાયા-નરોડા, ગીતામંદિર, નહેરુનગર, લીમડી, ચોટીલા હાઇવે થી જશે.

નિગમ દ્વારા ભવિષ્યમાં પણ આ રૂટ ઉપર વધુ બસ સુવિધાઓ પુરી પડવાનું આયોજન છે. ” સદર રૂટમાં મુસાફરોને ઘરેબેઠાં નિગમની વેબસાઈટ ૂૂૂ.લતિભિં.શક્ષ ઉપર તેમજ મોબાઈલ એપ  ૠજ્ઞજ્ઞલહય ઙહફુ જજ્ઞિંયિ માં ૠજછઝઈ ઘરરશભશફહ ઉજ્ઞૂક્ષહજ્ઞફમ  કરી એડવાન્સ ઓનલાઈન  બુકિંગનો પણ લાભ મળવા પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.