Abtak Media Google News

વાંકાનેરના રાજાવડલા ગામે રહેતી પરિણીતાએ પોતાના પર કેરોસીન છાંટી આંગ ચાંપીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના રાજવડલા ગામમાં રહેતા આશાબેન પ્રવીણભાઈ કુકાવા ઉ.વ.૨૯ નામના પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવી હતી. જેમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે તેઓના પતિ પ્રવીણભાઈ મનસુખભાઈ કુકાવાએ નિવેદન આપ્યું કે તેમની પત્ની જિદ્દી સ્વભાવના હોય, વાતે વાતે ખોટું લાગી જતું હતું. આવી જ રીતે કોઈ વાતનું ખોટું લાગી ગયું હોવાના કારણે અંતિમ પગલું ભર્યું હતું.

આ મામલે વાંકાનેર પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.