Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ અનેકવિધ વિકાસ કામો અને સિધ્ધિઓથી ભરપૂર ૪ વર્ષ પુરા થતા તેની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વરીષ્ઠ નાગરીકો, બૌધ્ધીકો, વેપારી આગેવાનો વિગેરેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

તદનુસાર પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં.૧૪માં કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા સંપર્ક અભિયાન શ‚ કરવામાં આવેલ.

જેમાં વોર્ડના શ્રેષ્ઠીઓ, વેપારી આગેવાનો, વકીલો, વિગેરેનો સંપર્ક કરી પત્રીકા તથા પુસ્તીકાનું વિતરણ કરી કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામા આવેલ વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને સરકારની સિધ્ધિઓથી માહિતગાર કરવામાં આવેલ આ સંપર્ક સે સમર્થન અભિયાનમાં વોર્ડના આગેવાનો તથા પક્ષના હોદેદારો સાથે જોડાયાહતા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.