આજે લોકસભામાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને રોજગારને લઇને પરેશાની નથી પરંતુ તેમના શાસનમાં મધ્યસ્થીઓની બલ્લે બલ્લે હતી પરંતુ આધાર લાગૂ કરવાથી મધ્યસ્થીઓની રોજગારી છીનવાઇ ગઇ એટલા માટે કૉંગ્રેસ દુખી છે. વડાપ્રધાન મોદીએ NPAનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આ કૉંગ્રેસની નીતિઓનું પરિણામ હતું અને આપણી સરકારે તેને ખત્મ કરવા માટેના પગલાં લીધા. એનપીએ પર કૉંગ્રેસના પાપ વિશે જાણતા હોવાછતાં હું ચૂપ હતો પરંતુ દેશ બધુ જાણે છે. તેમણે કહ્યુ કે દેશને ખબર હોવી જોઇએ કે તેની પાછળ જૂની સરકારનો બિઝનેસ છે. તે લોકો જ 100 ટકા જવાબદાર છે. પીએમએ દાવો કર્યો કે કૉંગ્રેસ સરકારને એવી બેન્કિગ નીતિઓ બનાવી, જેમાં બેન્કો પર દબાણ કરીને તેમના ચાહકોને લોન અપાવી. બેન્ક, સરકાર અને મધ્યસ્થી લોકોની મૈત્રીથી દેશ લૂંટાઇ રહ્યો હતો. બેન્કમાંથી અરબો-કરોડો આપવામાં આવ્યા હતા. સરકારમાં જો મારે રાજકારણ જ કરવું હોત તો પહેલા દિવસે જ દેશ સમક્ષ જ આ બધા તથ્ય રજૂ કરી દીધા હોત, પરંતુ તે સમયે આ બધી વાત કરવાથી અર્થવ્યવસ્થા ખોરવાઇ જતી. એટલા માટે કૉંગ્રેસના પાપ જાણતો હોવાછતાં દેશના ભલા માટે હું ચૂપ રહ્યો અને આરોપ સહન કરતો રહ્યો. આ એનપીએ પાપ હતું.. અમારી સરકાર આવ્યા બાદ એક પણ લૉન એવી આપવામાં નથી આવી કે જેમાં એનપીએની નોબત આવી હોય. પીએમ મોદીએ કૉંગ્રેસ દ્વારા આપવામાં આવેલ એનપીએની આંકડાકીય માહિતી ખોટી હોવાનું જણાવ્યું. પીએમે કહ્યુ, ‘તેમણે જણાવ્યું હતું કે એનપીએ 36 ટકા છે, પરંતુ જ્યારે પેપર્સ ફંફોસવાનું શરૂ કર્યુ તો યે 82 ટકા એનપીએ નિકળ્યું.’ પીએમે ગૃહમાં જણાવ્યું કૉંગેસના સમયામાં 52 લાખ કરોડ રૂપિયાનો NPA હતો, NPA માટે કૉંગ્રેસ જવાબદાર અને આજે જે આંકડા વધી રહ્યા છે તે તેમના પાપ પરનું વ્યાજ છે. દેશ તેમને આ પાપ માટે માફ કરશે નહીં. શું હોય છે NPA? બેન્કમાંથી લોન લેનાર કોઇ જ્યારે EMI આપવામાં નિષ્ફળ રહે છે, ત્યારે તેનું લૉન એકાઉન્ટ નૉન-પરફૉર્મિંગ એસેટ (એનપીએ) કહેવાય છે. તેને બેડ લોન પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપનારની લિમિટ પૂરી થવાના એટલે કે ડ્યૂ ડેટ ખત્મ થયા બાદ 90 દિવસની અંદર ચૂકવણી ન કરી શકે તો તેને એનપીએની શ્રેણીમાં સામેલ કરી દેવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ