Abtak Media Google News

ઘંટેશ્વરમાં સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો

શહેરમા સામાન્ય બાબતે છરી વડે હુમલો કરવાના બનાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અમીન માર્ગ પર માત્ર રૂ. ચાર હજારની ઉઘરાણી બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના હજુ તાજી છે ત્યાં ઘંટેશ્ર્વર રપ વારીયામાં નજીવી બાબતે બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર રપ વારીયાના કવાર્ટરમાં રહેતા અને ભંગારનું કામકાજ કરતા હરેશભાઇ નાથાભાઇ વાઘેલા નામના રપ વર્ષીય યુવાનને રવિ અને વિશાલ નામના શખ્સોએ છરી ઝીંકી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે હરેશભાઇ વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે પોતે ઘર પાસે હતો ત્યારે રવિ અને વિશાલે તાારા પિતા કયાં છે કહી છરીનો ઘા ઝીંકી દીધો હતો પોલીસે બન્ને હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.