Abtak Media Google News

કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગે… કોરોના ના આ કપરા કાળમાં હવે તો બીમારીનું એવો ભય ફેલાયો છે કે લોકો ને અગાઉ અજાણ્યા લોકો, અજાણી જગ્યા અને અજાણ્યા માધ્યમોથી બીક લાગતી હતી પછી એક દોર એવો આવ્યો કે જાણીતા ઓથી બીક લાગવા લાગી હવે પરિસ્થિતિ તેનાથી પણ વધુ વિકટ બની છે અને હવે તો પોતીકા પણ જોખમી બની ગયા છે કોરોના વિશે એવું કહેવાય છે કે આ રોગ કાચીંડા થી પણ વધુ ઝડપથી રંગ બદલે છે હજુ સુધી આ બીમારીની લાક્ષણિકતા અને તેનો ઈલાજ શું છે? તે આપણે જાણી શક્યા નથી, કોરોના હજુ તેની ઓળખ આપવામાં  સાવ બધાને કોરા જ રાખી દીધા હોય તેમ કોઇને તેની સાચી ઓળખ મળી નથી, કોરોના એ ફેલાવેલા ભયમાં હવે પરિચિતો પણ બધા માટે જોખમી બની ગયા છે હજુ આ વર્તુળ વધુ સંકોચાતું જતું હોય તે તાજેતરમાં જ આવેલા એક સંશોધનમાં તારણ માં કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ અને જવાબદાર પરિબળ તરીકે વ્યક્તિના અસ્વચ્છ હાથના કારણે કોરોના  સંક્રમણ શરીરમાં પ્રવેશે છે.

Sddefault

સુપર સ્પ્રેડ ર ઓળખ મેળવવા માટે ખૂબ જ ચીવટ રાખવામાં આવે છે કોરોનો સંક્રમણ સ્પર્શ સંસર્ગથી વધુ પરમાણ માં ફેલાઈ છે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સ્વાસ,લાળ, કફ અશ્રુથી ફેલાતો રોગ છે કોવિડ-૧૯ વાયરસ વ્યક્તિના મોઢા નાક કે આંખો મારફત શરીરમાં પ્રવેશે અને ગળા ના માધ્યમથી ફેફસા સુધી જાય છે એક વખત સંક્રમિત થઈ ગયા પછી જો પ્રારંભિક તબક્કામાં તેનો ઇલાજ કરવામાં વાર લાગે તો તેનો બીજો અને ત્રીજો તબક્કો ઝડપથી આવી જાય છે અને અંતિમ તબક્કામાં કોરોના વાયરસ ફેફસાની રુધિર કે સિક્કાઓને તોડી ફાડી નાખે છે અને દર્દી પ્રાણવાયુના અભાવે તરફડી તરફડીને જીવનનો અંત મેળવે છે અહીં વાત આપણે કોરો ના શરીર માં મોકલવા માટે સૌથી વધુ જવાબદાર કોણ તેની થાય છે કોરોના નું ભૂલનો મોટો દુશ્મન છે કોઈપણ પ્રકારની નાની એવી ભૂલ બેદરકાર રહેનાર વ્યક્તિને પોતાના અને પોતાના સ્વજનનાં મૃત્યુ સુધીની સજા આપી છે, કોરોના દરેક વ્યક્તિને પારકાના ચેપ  થી જ મળે છે જો વ્યક્તિ કે વર્ગ સમુદાય કે સમગ્ર માનવજાત આ કપરા કાળમાં માત્ર ને માત્ર પોતાના હાથ સ્વચ્છ રાખવામાં ચીવટ રાખે તો પણ આ રોગ કંઈ બગાડી શકે તેમ નથી કોરોના વાયરસ દૂર કરવા માટે વિવિધ પ્રકારના સેનીટાઇઝરનો ઉપયોગ થાય છે સેનીટાઇઝરમાં કોરોના વાયરસ ને નાબૂદ કરવાના ગુણધર્મ હોવાનું કહેવાય છે પરંતુ આ વાયરસ સાબુ (નહાવાનું) નહીં પણ ડિટરજનથી ભારે કાબૂમાં રહે છે બહાર આવતી જતી વ્યક્તિ ઘેર આવી ડિટર્જન્ટ થી હાથ માથું મોઢું ૩૦ સેક્ધડ સુધી સતત ધોઈ નાખે તો તે સંપૂર્ણપણ સેનિટાઈઝ થઈ જાય છે.

Gettyimages 1179539807 09Cc14F

કોરોના થી બચવા માટે સંભવિત પોતાના જ હાથને મોં નાક અને આંખના સંપર્કમાં આવવા ન દો તો શરીરમાં આ વિષ્ણુ પ્રવેશતા નથી હાથને ધોવાની ચીવટ રાખો અને આ વાયરલ શરીરના ભેજગ્રસ્ત માધ્યમ મોઢું નાક અને આંખ ને ન અડે તો કોરોના વાયરસ ક્યારે શરીરમાં પ્રવેશતા નથી.. હજુ કોરોનાની રસી શોધાઈ નથી આ બીમારી લાંબો સમય સુધી માનવ સમાજનો પીછો છોડે તેમ નથી તેવા સંજોગોમાં સ્વ જાગૃતિ ખીચ આ બીમારીને દૂર રાખી શકાય કોરોના શરીરમાં પ્રવેશ માટે દરેકને પોતાના હાથથી જ સાવચેત રહેવાની જરૂર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.