Abtak Media Google News

અશોકા યુનિવર્સિટીની સાથે અન્ય સરકારી સંસ્થા દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરાયો

કોઈ પણ ક્ષેત્રમાં આ સમાનતા અનેક પ્રશ્નો ઊભા કરતું હોય છે. સરકાર પણ એ વાત પર સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે દેશના જે ક્ષેત્રોમાં અસમાનતા જોવા મળે છે તેને કઈ રીતે દૂર કરી શકાય. ફરી એક વખત અશોકા યુનિવર્સિટી અને સરકારી સંસ્થા દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તે વાતની પુષ્ટી થઇ કે ફરીથી ટેક્સમાં જે  અસમાનતા જોવા મળે છે જો દૂર કરવું હોય તો વેલ્થ ટેક્સ અને ફરી અમલી બનાવવું પડશે.

Advertisement

પૂર્વે પણ વેલ્થ ટેક્સ ભારત દેશમાં અમલી ગયેલો હતો પરંતુ કોઇ કારણોસર તેને નાબૂદ કરવામાં આવ્યો હતો.પરંતુ હાલની સ્થિતિ ને ધ્યાને લઇ ફરીથી આ ટેકસને અમલી બનાવવો ખુબ જ જરૂરી છે.વેલ્થ ટેક્સ અમલી બનતાની સાથે જ જે ચેરીટેબલ ડોનેશન આવતું હોય તેમાં પણ ઘણી રાહત મળી રહેશે અને વધુ ડોનેશન આવવાની શરૂઆત પણ થઈ શકશે. વેલ ટેકને અમલી બનાવતા ની સાથે જ સરકારને વધુ ઘરની આવક પણ ઉભી થઇ શકે છે.

કોરોનાના કપરા સમયમાં ડોનેશન મળવું જોઈએ તે ન મળી શકતા અનેક પ્રશ્નો ઉદભવી થયા હતા ત્યારે જો ફરીથી સરકાર વેલ્થ ટેક્સ ને સમરી બનાવે તો દાન આપવા રકમમાં વધારો થઈ શકે છે અને ઘણા ખરા સેવાકીય કાર્યો પણ પૂર્ણ થઈ શકશે.

બીજી તરફ તજજ્ઞોનું માનવું છે કે ભારતમાં જે ટેક્સ માળખું ઊભું કરવામાં આવ્યું છે તેને ફરી ની હારુન અને તેના માં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે જેનું મુખ્ય કારણ એ છે કે હાલ ભારત આર્થિક રીતે મદદ થઈ રહ્યું છે ત્યારે વધુને વધુ ભારત દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને લોકોની આર્થિક સ્થિતિ પણ સુધરે તે માટે ટેક્સ સ્લેબમાં બદલાવો ખૂબ અનિવાર્ય છે.

હાલના તબક્કે ભારતને સૌથી વધુ જરૂરિયાત એ વાતની છે કે જો આ પ્રકારના ટેક્સ ભરી અમલી બનશે તો ઘણા પ્રશ્નોનો ત્વરિત નિવારણ પણ આવી શકશે અને જે ક્ષેત્રમાં નાની જરૂરિયાત છે તેમાં પણ વેલ્થ ટેક્સ ફાયદારૂપ અને મદદરૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.