Abtak Media Google News

કાયમી ડીજીપીની પિટિશનમાં હાઈકોર્ટ ૧૩મીએ ચૂકાદો આપે તેવી શકયતા

રાજ્યમાં કાયમી ઉૠઙની નિમણૂકના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ચુકાદો ૧૩મી નવેમ્બર સુધી અનામત રાખ્યો છે. હાલ રાજ્યમાં ગીથા જોહરી ઇન્ચાર્જ ઉૠઙની ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને પોલીસ બેડામાં એક આત્મગૌરવ માટે પણ ઉૠઙની કાયમી પોસ્ટ આવશ્યક હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

Advertisement

પૂર્વ  ઈંઙજ રાહુલ શર્માએ હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી હતી. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,રાજકીય હસ્તક્ષેપના લીધે રાજ્યમાં લાંબા સમયથી ઉૠઙ જેવી અગત્યની પોસ્ટ પર કાયમી નિમણૂક થતી નથી. પોલીસના આત્મગૌરવની રક્ષા માટે ઉૠઙની કાયમી પોસ્ટ હોવી આવશ્યક છે. કાયદાકીય જોગવાઇ પ્રમાણે રાજ્યમાં ઉૠ અને ઈંૠઙ નિમણૂક કરવી પ્રાથમિક ફરજ છે. તેને કારણે કાયદાકીય પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કડક પગલાં લઇ શકાતા નથી. જે બાબતની નોંધ સુપ્રીમ કોર્ટે પણ કેટલાક કેસોમાં લઇ જાહેરહિતમાં પોલીસની તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક જરૂરી સુચનો કર્યા છે. બોમ્બે પોલીસ એક્ટ (ગુજરાત એમેન્ડમેન્ટ) ૨૦૦૭માં સ્પષ્ટ જોગવાઇ છે કે, રાજ્યમાં ઉૠ અને ઈંૠઙ પદે કાયમી અધિકારીની નિમણૂક થવી જોઇએ. તે વ્યક્તિનો ઓછામાં ઓછા બે વર્ષનો કાર્યકાળ બાકી હોવો જોઇએ. કાયમી પદ પર અધિકારીની નિમણૂક નહીં કરવાનો અર્થ થાય છે કે, સરકાર પોલીસને પોતાના પંજામાં દબાવીને રાખવા ઇચ્છે છે. એવું અવાર-નવાર સાંભળવા મળે છે કે, અધિકારીઓ રાજકીય મોભીઓ સાથે ગુપ્ત બેઠકાે કરે છે અને તે બાબતે ઉૠ ને વિશ્વાસમાં પણ લેવામાં આવતા નથી. લાંબા સમય સુધી ઇન્ચાર્જ ઉૠઙ તરીકે પી.પી. પાંડેય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.