Abtak Media Google News

સનસનીખેજ ધડાકો: સમગ્ર વિશ્વના પ્રલય અને આર્થિક આદાન પ્રદાનનો અંત આવી જવાનું ચોંકાવનારૂ ભવિષ્ય !

જો આ આગાહી સાચી પડશે તો આખી દુનિયા નહિ રહે ?

વિશ્વ વિખ્યાત ફ્રાન્સના જયોતિષશાસ્ત્રી-આગાહીકાર નોસ્ટ્રાડેમસે ૧૫૫૧માં કોરોના વાયરસને લગતું એવું આગમ ભાખ્યું હતુ કે, ૨૦૨૦માં કવીન કોરોના વાયરસની ઉત્પત્તિ થશે, જે પૂર્વ (ચીન)માંથી આગળ વધીને રાત્રિના અંધકારમાં મહામારીના (પ્લેગ જેવા) વાયરસના સ્વરૂપમાં ફેલાશે. એ સાત પહાડીઓ ધરાવતા (ઈટાલી) પ્રદેશમાં જમાવટ કરશે. એને લીધે અનેક મનુષ્યોનાં મોત થશે, જે ખોફનાક સ્વરૂપે ચોમેર ફેલાશે અને વિશ્વને વિનષ્ટ કરશે. અર્થાત જગતના પ્રલયમાં ફેરવાશે અને તમે સમજી શકો છો તેમ ‘વર્લ્ડ ઈકોનોમી’ને ખતમ કરશે.

Advertisement

નોસ્ટ્રાડેમસે આખા વિશ્વને ખળભળાવે અને જબરી હલચલ મચાવે તેવી ઘટનાઓની કલ્પનાતીત આગાહીઓ કરી હતી. તેમણે કરેલી આગાહીઓ કયારેય ખોટી પડી નથી એમ આખા જગતની વિભૂતિઓએ સ્વીકાર્યુ છે. એમની આ આગાહી તેમના એક પુસ્તકમાં ગ્રંથસ્થ છે, જેની તસ્વીર અહી આપવામાં આવી છે.

6.Saturday 1 2

આપણા દેશમાં પણ દેવાયત પંડિતનાં આગમ સાચા પડી ચૂકયા છે, જેમાં ‘પડીકે પાણી વેચાશે’, મનુષ્યે જીવતા રહેવા માટે જે શ્વાસની જરૂર પડે છે તે શ્વાસ (ઓકસીજન) વેચાશે, અને ‘ઘરકામ કરશે ભાયડાને ધન કમાશે બાયડી એવો જમાનો આવશે’ જેવા ઉદાહરણ છે. અમેરિકામાં અત્યંત લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ જહોન એફ કેનેડીની હત્યાની અને તેમના નાનાભાઈ રોબર્ટ કેનેડીની હત્યાની આગાહીઓ પણ સાચી પડી હતી. ચમત્કારો આજે પણ થાય છે એમ અરવિંદ ઘોષના અનુયાયી શ્રી દિલીપ રોયે તેમના પુસ્તકમાં લખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.