Abtak Media Google News

જામનગરના નવાગામ ઘેડમાં લગ્નના આગલા દિવસે યુવાનનો આપઘાત

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાને લગ્નની પૂર્વ સંધ્યાએ ગળાફાંંસો ખાઈ જીવતર ટૂંકાવતા તેનો પરિવાર હતપ્રભ બની ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ આ યુવાને પોતાના મનગમતા સ્ત્રીપાત્ર સાથે લગ્નગ્રંથીથી જોડાવવા માટે રાખેલી ધીરજ પછી બન્ને પરિવારો તે સંબંધ માટે સહમત પણ થયા હતા, પરંતુ લાંબા ચાલેલા પ્રેમસંબંધમાં રોજેરોજ થતી વાતચીત દરમ્યાન પ્રેમનું સ્થાન ઝઘડાઓએ લેતા આ યુવાને ગળાફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવે પ્રબુદ્ધ નાગરિકોને વિચારતા કરી મૂક્યા છે. જામનગરના નવાગામ ઘેડમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં શેરી નં.૪માં રહેતા હિતેશભાઈ ચીમનભાઈ પરમાર નામના ચોવીસ વર્ષિય મોચી યુવાને બુધવારની રાત્રે જ્યારે પોતાનો પરિવાર અને ઘરે આવેલા મહેમાનો સૂવા ગયા તે પછી ગઈકાલે સવારના સાડા સાત વાગ્યા સુધીના સમયમાં પોતાના ઓરડામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

Advertisement

આ બનાવની ગઈકાલે સવારે જ્યારે તેમના પરિવારને જાણ થતા તેઓએ હિતેશભાઈને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા પ્રવિણભાઈ મગનભાઈ પરમારે પોલીસને જાણ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.