Abtak Media Google News

મોદીની દીર્ઘ દ્રષ્ટિથી જ મોંઘવારી કાબુમાં : અનેકવિધ યોજનાઓથી લોકો સંતુષ્ટ

શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં અને ભારતીય જનતા પાર્ટી , યુવા મોરચાના રાષ્ટીય અધ્યક્ષ તેજશ્વિ સૂર્યાજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાની પ્રદેશ કારોબારી અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ પેડક રોડ ખાતે યોજાનાર હોય આ પ્રસંગે ઉપસ્થિત રહેવા પધારેલા ભારતીય જનતા પક્ષ યુવા મોરચાના  રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રખર વક્તા ઓજસ્વી રાષ્ટ્રીય નેતા તેજશ્વિ સૂર્યાજીએ પત્રકાર પરિષદ યોજી હતી.

તેમણે પત્રકાર પરિષદમાં મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે કરેલી પ્રગતિ અને આગામી ચૂંટણીમાં યુવા મોરચાની કામગીરી જવાબદારી અને સક્રીયતાની વાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, આગામી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને 18ર બેઠકો જીતાડવા યુવા મોરચો સક્રિયતાથી કાર્ય કરશે.મોદીજીની દીર્ઘ દ્રષ્ટિથી જ મોંઘવારી કાબુમાં આવી છે. અનેકવિધ યોજનાઓથી લોકો સંતુષ્ટ છે એથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 18ર બેઠકો જીતાડવામાં કોઈ ઓછપ નહીં રહે તેવી તેમણે ખાતરી આપી હતી. આ પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદીપ ડવ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી,પ્રવકતા ભાજપ સૌરાષ્ટ્ર ઝોન   રાજકોટ રાજુભાઈ ધ્રુવ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.