Abtak Media Google News

ર8 ફિલ્મોમાં 109 જેટલા સુપરહિટ ગીતો લખનાર ગીતકાર જીવનનો અંતિમ પડાવ દયનીય હાલતમાં પસાર કરી રહ્યા છે. ટીવી કાર્યક્રમમાં ચમકયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં તે લાઇમલાઇટમાં આવ્યા, એના ગીતો થકી આપણને સંતોષ અને આનંદ આપનાર કવિને સમગ્ર દેશમાંથી સાંત્વના, સંવેદના અને સધિયારો મળ્યો હતો

બોલીવુડના કલાકારોની સિતારો ચમકતો હોય ત્યારે બધા જ તેની સાથે હોય છે પણ જેવું કામ મળતું બંધ થાય કે બધા સંબંધો તોડી નાંખે છે. જુના કલાકારોની ઘણી વાતો આપણે જોઇએ. મહેમુદ, ભારત ભૂષણ જેવા અનેક નામી કલાકારો તેના અંતિમ કાળમાં ઘણી કપરી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. અત્યારનાં કલાકારો જેવી કરોડોની કમાણી ત્યારે ન હતી તેથી પણ તે સમયાંતરે મુશ્કેલીમાં મુકાયા હતા. કલાકારો, ગીતકારો, સંગીતકારો, સહાયકો જેવા વિવિધ બોલીવુડના નામાંકિત લોકોનો અંતિમ સમય ઘણો ખરાબ રહ્યો હતો.

આજના ટીવી શોમાં ઘણીવાર જાુના કલાકારો આવે છે ત્યારે તેમના વિશેની વાતો સાંભળીને હ્રદય દ્રવી ઉઠે છે. આવી જ વાત ગીતકાર સંતોષ આનંદ ટીવી શોના માઘ્યમ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશ સાંત્વના, સંવેદના અને સધિયારો આપ્યો હતો. ઉત્તરપ્રદેશના બુલંદશહર પાસેના સિકંદરાબાદ ખાતે જન્મેલા આ સંવેદનશીલ હિંદી કવિ આજથી પાંચ દાયકા પહેલા દિલ્હીના પુસ્તકાલયમાં કામ કરતાં સાથે નિરજ પછી સંતોષ આનંદનું નામ હતું. આવા જ મુશાયરામાં હશ્રિવંશરાય બચ્ચન અને નિરજ પછી સંતોષ આનંદનું નામ હતું. આવા જ મુશાયરામાં ફિલ્મ સ્ટાર મનોજ કુમારે તેમને સાંભળીને પ્રભાવિત થઇને 1970માં પોતાની ફિલ્મ ‘પુરબ ઔર પશ્ર્ચિમ’ફિલ્મમાં તક આપી હતી.

આ ફિલ્મમાં ‘પૂરવા સુહાની આઇ રે પૂરવા’ ગીત ખુબ જ લોકપ્રિય થયું હોવા છતાં કોઇએ તેમને ફિલ્મોના ગીત લખવા કામ ન આપ્યું બાદમાં મનોજકુમારે ફરી પોતાની ફિલ્હ ‘શોર’માં ગીતકાર તરીકે લેતા ‘ઇક પ્યાર કા નગ્માહૈ’ જેવા હિટ ગીતો આપ્યા હતા. ફરી કયાંય કામ ન મળતા મનોજકુમારે ‘રોટી કપડાં ઔર મકાન’ફિલ્મમાં તક આપીને ‘મૈ ના ભૂલૂંગા, ઔર નહીં, બસ ઔર નહી જેવા સુપર ડુપર ગીતો આપ્યા બાદ સંતોષ આનંદે સાત વર્ષના વિરામ બાદ છેલ્લે 1881માં મનોજકુમારની ફિલ્મ ‘ક્રાંતિ’ ફરી ગીતો લખ્યા જેમાં જીંદગી કી ના તૂટે લડી જેવા હિટ ફિલ્મો લખ્યા હતા. તેમણે મનોજકુમાર ફિલ્મોમાં સૌથી વધુ ગીતો લખ્યા હતા.

‘તેરા સાથ હે તો મુજે કયા કમી હૈ’ જીતેન્દ્રની ફિલ્મ પ્યાસા સાવન માટે બે ગીત તથા 1982માં ગ્રેટ શો મેન રાજકપૂરની ફિલ્મ ‘પ્રેમ રોગ’ માટે યે ગલીયા યે ચોબારે, મહોબ્બત હૈ કયા ચીજ જેવા હિટ ગીતો લખીને ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મો સિવાય સંતોષ, સંગીત જેવી ફિલ્મો સાથે કુલ ર6 ફિલ્મોમાં 109 થી વધુ ગીતો લખ્યા હતા. અંતિમ પડાવની ગીતકારની દયનીય હાલત ટીવી શોમાં જોતા નેહા કકકડે તથા અન્યોએ થોડી આર્થિક મદદ કરીને આગ ગીતકારને સધિયારો આપ્યો હતો.  જો કે સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાંથી સાથ સહકાર સાથે લાગણીઓ ધોધ વહ્યો હતો. આજે પણ તેમની સ્થિતિમાં તે વ્હીલ ચેર પર બેસીને જાુસ્સાથી પોતાના ગીતો રજુ કરીને સૌના દિલ જીતી લીધા હતા.

71 Santoshanand

સંતોષ આનંદના ગીતો અર્થસભર, સ્મરણીય હોવાથી આજે પણ લોકો મોબાઇલમાં રીંગ ટોન રાખે છે. તેમના ગીતો યુવા વર્ગમાં બહુ જ લોકપ્રિય થયા છે. અત્યારે જીવનની ઢળતી સંઘ્યાથી આ ગીતકાર જાુવાન જોધ પુત્ર-પુત્રવધુ ગુમાવીને એકલા પોતાની પુત્રી-પૌત્રી સાથે એક સાવ નાનકડા ફલેટમાં દયનીય હાલતમાં જીવન પસાર કરે છે. તેમનો જન્મ પ માર્ચ 1939 માં થયો હતો. તેમણે 1970 થી 1982 સુધી વિવિધ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે 1974માં અને 1982માં બેવાર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. એે ફિલ્મો પ્રેમરોગ અને રોટી કપડાં ઔર મકાન હતી. છેલ્લે તેમણે જુનુન (1992) તથા તહલકા (1992) માં ગીતો લખ્યા હતા. તેમના ગીતો લત્તાજી, મુકેશ અને મહેન્દ્ર કપુર જેવા ખ્યાતનામ ગાયકો એ ગાયા છે. 2016માં તેમને યશભારતીનો એવોર્ડ મળ્યો હતો.

જિંદગી કી ના તૂટી લડી, પ્યાર કરલે ઘડી દો ઘડી જેવા હિટ ગીતોના ગીતકાર સંતોષ આનંદ આર્થિક મુશ્કેલી સાથે શરીરથી પણ લાચાર થઇ ગયા છે. તેમની પાસે કંઇ કામ નથી.  આજે તેમની ઉપર ઘણું દેણું થઇ ગયું છે. હિંમત હારી ચૂકેલા પણ તેના શબ્દોના સંતોષથી કપરા સમયમાં પણ આનંદ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ઇન્ડિયન આઇડોલ 1રમાં તે લક્ષ્મીકાંત પ્યારેલાલ જોડીના પ્યારેલાલ સાથે શોમાં વ્હીલ ચેરમાં લકવાની અસહય સ્થિતિમાં હાજર રહીને પુરા જોશ સાથે તેમના ગીતો રજુ કરીને પોતાની જીવનકથની સાથે એ શબ્દોને જોડીને રજુ કરતાં બધાની આંખો ભીની થઇ ગઇ હતી. શોના જજ વિશાલે પણ તેના ગીતો રજુ કરવાની ખાત્રી આપી હતી.

“ઘર ફુંક હમને અબ રાખ ઉઠાની હૈ,

જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ”

70 ના દશકામાં પોતાની મર્મસ્પર્શી કલમથી શ્રેષ્ઠ ગીતો લખનાર ગીતકાર સંતોષ આનંદ પુત્ર અને પુત્રવધુની આપઘાતની ઘટના બાદ સાવ ભાંગી  પડયા છે. તેમને આજે કોઇ પરિચયની જરૂર નથી પણ આજનો જમાનો તેને યાદ કરતો નથી તે આ ગીતકારની ફરિયાદ છે. તેમની

આવડત એટલી  પાવરફૂલ હતી કે લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ફોન પર જ વાત કરીને ગીત બનાવી લેતા હતા. કવિ સંમેલનમાં તેમને સાંભળવા બહુ જ ભીડ ઉમટી પડતી હતી.

જીવનની ઘણી મુશ્કેલી વચ્ચે આ ગીતકાર જીવી રહ્યા છે છતાં હિંમત હાર્યા નથી. વ્હીલ ચેર પર કાંપતા શરીરે ભલે સાથ ન આપ્યો પણ તેમણે લખેલા ગીતો ના સહારે આત્મ વિશ્ર્વાસે તેમના જીવન જીવવાનું કારણ બન્યું છે.

“જો બીત ગયા અબ વહ દૌર ન આયેગા,

ઇસ દીલ મેં સિવા તેરે કોઇ,

ઔર ન આયેગા……

અને તેની પ્રેમિકા માટે લખ્યું…..

ઇક પ્યાર કા નગમા હૈ…..

જીંદગી ઔર કુછભી નહીં, તેરી મેરી કહાની હૈ…..”

* પૂરબ ઔર પશ્ર્ચિમ

* ક્રાંતિ

* શોર

* પ્રેમ રોગ

* રોટી કપડા ઔર મકાન

* પ્યાસા સાવન

* તિરંગા

* પ્રેમ અગન

સંતોષ આનંદના હિટ ગીતો

  • * એક પ્યાર કા નગમા હૈ… શોર
  • * જીંદગી કી ન તૂટી લડી…. ક્રાંતિ
  • * યે ગલિયોં યે ચૌબારા …. પ્રેમરોગ
  • * તેરા સાથે હૈ તો મુજે કયા કમી હૈ….. પ્યાસા સાવન
  • * પૂરવા સુહાની આઇ રે…. પૂરબ ઔર પશ્ર્ચિમ
  • * મેઘા રે મેઘા રે…. પ્યાસા સાવન
  • * મેૈના ભૂલુંગા….. રોટી કપડાં ઔર મકાન
  • * મે હું પ્રેમ રોગી…. પ્રેમ રોગ
  • * હાય હાય યે મજબૂરી…. રોટી કપડાં ઔર મકાન
  • * જીવન ચલનેકા નામ…… શોર
  • * કોઇ જબ તુમ્હારા હ્રદય તોડ દે……. પૂરબ ઔર પશ્ર્ચિમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.