Abtak Media Google News

રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ધ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પનું આયોજનમાં મોટી સંખ્યામાં લાર્ભાી દર્દીઓએ લાભ ઉઠાવ્યો

રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્તિ એચસીજી કેન્સર હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે કેન્સર જાગૃતિ  કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, લોક સહયોગ અને રાજય સરકારનાં સંયુકત પ્રયાસોી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબધ્ધ છે. આ તકે મુખ્યમંત્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજીક જાગૃતિ કી તિલાંજલી આપવા આહવાન કર્યુ હતું.

Dsc 0323કેન્સર મુકત ગુજરાતનાં અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે,મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતા ગર્ભાશયનાં કેન્સરનાં વહેલા નિદાન માટે વિદેશમાં અમલમાં મુકાયેલ પેપ નિદાન ચિકિત્સા અમલમાં મુકવા રાજય સરકાર પ્રતિબધ્ધ  છે કેન્સર નિષ્ણાંતો સો પરામર્શ કરી રાજય સરકાર પેપ નિદાનની પોલીસી લાવશે.

Dsc 0343 1રાજયમાં વધુમાં વધુ સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ બનાવવા તરફ રાજય સરકાર આગળ વધી રહી છે. સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં સીનીયર સીટીઝનો માટે મા અમૃતમ યોજનાનાં લાભ માટે આવક મર્યાદા રૂ. ૬ લાખ કરી . ૩ લાખની સારવાર આપવા જોગવાઇ કરી છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમારોહમાં જણાવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુજીત રૂપાણી સંસની રૂપરેખા આપતા કહયુ કે, ૧૯૯૫ી ટ્રસ્ટે માનવ સેવાની પ્રવૃતિ હા ધરી છે અને આજે તેનો વ્યાપ રાજકોટી આગળવધીને સૌરાષ્ટ્ર સુધી વ્યાપ વધ્યો છે તેને  આવકારી હવે સંસ ખાતે નિયમિત ધોરણે નિદાન અને રાહતદરે આપરેશનનાં સેવા કાર્યો થશે.

સમારોહનાં પ્રમુખ સનેી ઉદબોધન કરતા એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદનાં કેન્સર સર્જન ડો. કૌસ્તુભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કેન્સરને જાણે એ જીતે અને તેનાં ઉપર વિજય મેળવી શકાય છે. ડરે એ મરે છે. વહેલું કેન્સરનું નિદાન કરવામાં આવે તો દર્દીઓ બચી શકે છે. કેન્સર વ્યસન, વ્યકિતની જીવનશૈલી, ભોજનની અનિયમિતતા અને વાતાવરણનાં પ્રદુષણી પણ થઇ શકે છે જે માટે આપણે જાગૃત વું જરુરી છે આ તકે ડો. પટેલએ પ્રઝન્ટેશન થકી કેન્સર રોગ અંગેની માહિતી પુરી પાડી હતી.

સ્વાગત પ્રવચન કરતા ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ પુજીત રૂપાણી ટ્રસ્ટની સેવાકિય પ્રવૃતિની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી અને અવરનેસ પ્રોગ્રામ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પુજીત રૂપાણી ટ્રસ્ટ અત્યાર સુધી રાજકોટ શહેરની આજુબાજુનાં વિસ્તારનાં લોકોને આરોગ્ય સેવા સુવિધાનો લાભ આપતા હતા હવે સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો માટે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ તથા નિદાન કેમ્પ શરૂ કરેલ છે.

કેન્સર અવેરનેસ અને નિદાન કેમ્પમાં ઉપસ્તિ લોકોને નિષ્ણાંત ડોકટરો ધ્વારા ખુબજ ઉપયોગ આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મો, ગળુ, જડબા, બ્રેસ્ટ તા ગર્ભાશયનાં તમામ પ્રકારનાં કેન્સર નિદાન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.કૌશિક પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો. દુષ્યંત માંડલીક, ડો. પરીનભાઇ પટેલ, ડો. ભરતભાઇ પ્રજાપતિ, ડો. રશ્મિનબેન શાહ વગેરે ખુબજ સક્રિય રીતે સેવા પુરી પાડી
હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.