Abtak Media Google News

વિશ્વસંત દાદા જે.પી. વાસવાણીને જન્મદિનની ભેટ સ્વરૂપે સાધુ વાસવાણી સેન્ટર રાજકોટ દ્વારા ૧૦૦ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ પૂ. દાદાના આશિર્વાદથી સેન્ટર દ્વારા શહેરના અલગ અલગ એરીયા જેવા કે માધાપર ચોકડી ૧૮૦ ફીટ રીંગરોડ, એરોડ્રોમ રોડ, જંકશન પ્લોટ, જાગનાથ પ્લોટ મહિલા કોલેજ વિસ્તાર જેવા અન્ય કેટલાય વિસ્તારના ઘરોમાં સત્સંગ કરી દાદા જે.પી. વાસવાણીજીના માફી અને પ્રેમના સંદેશને કિર્તન ભજન દ્વારા પહોચાડવાનો પ્રયત્ન કરાયો છે.

આ અંતર્ગત ૪ નવે. ૨૦૧૭ના ગુરૂનાનક જન્મ જયંતિના પૂણ્ય દિવસથી આરંભ થયેલી સત્સંગયાત્રા તા.૬ મે ૨૦૧૮ના રોજ ૧૦૦ સત્સંગ સાથે દિવ્ય સંભારણા સમી બની રહી. ૧૦૦માં સત્સંગનું આયોજન સાધુ વાસવાણી સ્કુલ ફોર ગર્લ્સ ખાતેકરવામાં આવ્યું હતુ આ ૧૦૦માં સત્સંગમાં શહેરભરમાંથી ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.