Abtak Media Google News

૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે હસ્તગિરિ જાળિયા (અમરાજી) ખાતે એક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં પાલિતાણા તાલુકાનાં સરકારી તેમજ ગ્રાન્ટેડ હાઈસ્કૂલનાં શિક્ષકો ,આચાર્યશ્રીઓ તેમજ ગ્રામજનોએ જોડાઈને  ૧૧૧ બોટલ રકતદાન કર્યું હતું.આ કાર્યક્રમમાં પાલિતાણા નાયબ કલેકટર  વર્મા તેમજ એજયુકેશન ઈન્સપેકટર  પ્રતિપાલસિંહ અને પાંડેની વિશેષ ઉપસ્થિત રહી હતી.

સરકારી શાળા જાળિયાનાં આચાર્ય કરણસિંહ ચૌહાણ દ્વારા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રવતી શાળા જાળિયા, સરકારી હાઈસ્કૂલ જાળિયા તેમજ સમગ્ર ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.