Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીમાં વિનામૂલ્યે એસટી બસમાં મુસાફરી યોજના અંતર્ગત  ૧૭૮૩ દિવ્યાંગ ભાઇ-બહેનોના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામી જણાવે છે. ગુજરાત રાજયમાં દિવ્યાંગ વ્યકિત સાથે સાથીદારને પણ કેટલાક કિસ્સામાં એસટીમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર છે જે અન્વયે ૮૦ ટકાથી વધુ અંધત્વ, ઓછી દ્રષ્ટિ, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા, સેરેબલપાલ્સી, માનસિક બિમાર, બહુવિધ સ્કેલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ચેતા તંત્ર, ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતી, બહેરા, અંધત્વ સહિત અનેક અપંગતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને સો ટકા રાહત આપવામાં આવે છે.

૮૦ ટકાથી વધુ સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્તિી ધ્રુજારી, સ્નાયુબધ્ધ કઠોરતા, રકતપિત, હલન ચલન સાથેની અશકતતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને ૫૦ ટકા રાહત મળે છે.

દિવ્યાંગ ઓળખકાર્ડ મેળવવા અરજદારે  આધાર કાર્ડની પ્રમાણિત નકલ, જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી દર્શાવતું ડોકટરી સર્ટીફિકેટ, અરજી સાથે બે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઇઝના ફોટા,રેશનકાર્ડની ઝેરોક્ષ,   ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા, બ્લડગ્રુપનો દાખલો, બેંક પાસ બુકની પ્રમાણિત નકલ, અરજીપત્રક  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.પ, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી વિનામૂલ્યે મળીશકશે. અને આ કચેરીમાં જ અરજીપત્રક ભરીને  રજૂ કરવાનું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.