Abtak Media Google News

ઔધોગિકરણ અગાઉનાં વાતાવરણની તુલના કરવામાં આવે તો પૃથ્વી પર તાપમાનમાં ૨ સેલ્સીયસનો વધારો થયો છે. આ અભ્યાસ સાથે જોડાયેલ પીટર કલાર્કે જણાવેલ છે કે મોંઘી જીવનશૈલી માટે અરબો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેની પૃથ્વીનાં ભાગો પર અસર થઈ રહી છે. ગેસનાં ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં નહીં આવે તો ૨૩૦૦ સુધીમાં સમુદ્રની સપાટી ૨૦ ફુટ વધી શકે છે.

સમગ્ર વિશ્ર્વમાં ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના પ્રયાસો વધુ ઝડપી નહીં બને તો તાપમાનમાં ભયંકર વધારો જોવા મળશે તે સ્થિતિએ વિશ્ર્વભરનાં વૈજ્ઞાનિકો ચિંતિત છે. સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે જો ૨૦૧૫નાં પેરિસ જળવાયું સમજુતીની શરતોને તાત્કાલિક રીતે લાગુ કરવામાં આવે તો તેની પ્રથમ અસર આવતા ૧૫ વર્ષનો સમય લાગી શકે છે. તમામ દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જન ઓછું કરવાનાં વચનનું પાલન કરવાનું રહેશે અને ધરતીને વધારે ગરમ થતી કોઈપણ સંજોગોમાં અટકાવી પડશે. હકિકત એ છે કે ઘણા ઓછા દેશોમાં પેરિસ સમજુતીની શરતોનું પાલન થાય છે. સંશોધક પીટર કલાર્કે જણાવેલ છે કે, પેરિસ સમજુતી બાદ પણ સરકારો પૃથ્વીને બચાવવા માટે કંઈ પણ કરી રહી નથી. પૃથ્વી પરનું તાપમાન વધશે તો સમુદ્રની સપાટીમાં વધારો થશે. હવે તો ઠંડીની સીઝનમાં પણ સમુદ્રની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. આપણે ટુંકા સમયમાં કઠોર નિર્ણયો લેવા પડશે. આપણી જીવન શૈલી જ પૃથ્વીને નુકસાન પહોંચાડી રહી છે.

7537D2F3 10

આપણે એક એવી જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છે. આ માટે વિશ્ર્વમાં અરબો ડોલર ખર્ચી રહ્યા છે પરંતુ તેની પૃથ્વીને અસર ભોગવવી પડે છે. સમુદ્રની સપાટીમાં વધારો થવો તે એક લાંબી પ્રક્રિયા છે. આપણે આપણા ઘરને ઠંડુ કરી છીએ પરંતુ બહારનાં તાપમાનને વધારી રહ્યા છીએ. આ ગરમીને કારણે સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સંશોધનકર્તાઓએ સમુદ્રની જળ સપાટીનું આંકલન કરવા માટે એક કોમ્પ્યુટર મોડેલનો ઉપયોગ કર્યો છે તેની મદદથી ૧૭૫૦થી લઈને ઉત્સર્જનનું મુલ્યાંકન કરાય છે. એવું પણ જોવા મળ્યું છે કે જો તમામ દેશો પેરિસ સમજુતીનું પાલન કરે તો વર્ષ ૨૦૧૫ થી ૨૦૩૦ વચ્ચેનાં ગાળામાં ઉત્સર્જનની પરિદ્રશ્ય શું રહેશે ? સંશોધનકર્તાએ સમુદ્ર જળસ્તરનાં ૨૦ સે.મી.નાં અડધા સ્તરમાં વૃદ્ધિ માટે વિશ્ર્વનાં ટોચનાં પાંચ દેશો અમેરિકા, ચીન, ભારત, રશિયા અને યુરોપીયન યુનિયનને જવાબદાર ગણવામાં આવ્યું છે. પેરિસ સમજુતીનો ડ્રાફટ તૈયાર કરવામાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સમજુતીમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. કલાઈમેન્ટ એનાલિટીકસ અને સંશોધકોનાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં આપણે શું કરી શકીએ અને વર્ષ ૨૩૦૦માં તેની શું અસર પડશે તે જ‚રી છે. ૨૦ સેમી ખુબ જ મહત્વપૂર્ણ છે તે સમુદ્રનાં જળસ્તરની વૃદ્ધિ સમાન છે.

7537D2F3 10

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે સમુદ્ર જળસ્તરને અટકાવવામાં તમામ દેશો માટે પડકારો રહેલા છે. વિવિધ દેશોની સમુદ્રની નજીક રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચરને બચાવવા મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું રહેશે. વિશ્ર્વભરમાં તટીય શહેરોમાં અગાઉથી જ અનેક પડકારો રહેલા છે જોકે રિસર્ચમાં જાણવા મળ્યું કે કાર્બન ઉત્સર્જનમાં વધારે ઘટાડો નહીં આવે તો વર્ષ ૨૦૫૦માં પ્રત્યેક વર્ષ ૩૦ કરોડ લોકોનાં ઘર પાણીમાં ગરકાવ થઈ જશે. પૃથ્વી ગરમ થવાથી ગ્લેશિયર અને બન્ને ધ્રુવ પ્રદેશોમાં બરફ પીગળી રહ્યો છે અને તેનાથી સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. યુએન કલાઈમેન્ટ સાયન્સ પેનલનાં મતે જો ઉત્સર્જન પર કોઈ નિયંત્રણ મુકવામાં નહીં આવે તો શતાબ્દીની અંત સુધીમાં વૈશ્ર્વિક સમુદ્રી જળસ્તર ૧.૧ મીટર સુધી પહોંચી શકશે. જો એપ્લાન્ટીકાનો બરફ પીગળવાથી અનિશ્ર્ચિતતા જળવાઈ રહેશે તો વિશ્ર્વની વાસ્તવિક સ્થિતિ વધારે વિકટ બનશે. વર્ષ ૨૦૧૫નાં પેરિસ જળવાયુની સમજુતી માટે ગ્લેશિયરોનું પિગળવાથી સમુદ્રી સ્તરમાં વધારો થવા માટે જવાબદાર જળવાયું પરિવર્તનનો સામનો કરવા માટે ગરીબ અને સમૃદ્ધ દેશોએ કાર્યવાહી કરવાની જરૂર છે. તે અંતર્ગત કાર્બન અને ગ્રીન હાઉસ ગેસનું વધારે ઉત્સર્જન કરનાર દેશોને ઉત્સર્જન પર નિયંત્રણ મેળવવું જરૂરી હતું. આ સાથે વિકાસશીલ દેશોને શરૂ આતથી જ ઓછો કાર્બન ઉત્સર્જન કરવાને લાયક આર્થિક સહાયતા અને મુળભુત માળખુ ઉપલબ્ધ કરવાનું હતું. પેરિસ સમજુતીને ડિસેમ્બર ૨૦૧૫માં વિશ્ર્વનાં ૧૯૫ દેશોએ સ્વિકાર કરેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.