કોરોનાની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં અત્યાર સુધીમાં વિદેશથી મૂળ ભારતના વતની એવા ૭૦ જેટલા વિદ્યાર્થીઓ-નાગરિકો મોરબી જિલ્લામાં આવ્યા છે.જેમાંથી હાલ ૫૦ લોકો ક્વોરન્ટાઇન છે અને ૨૦ લોકો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા છે. જેમાં ફિલિપાઈન્સથી આવેલા ૧૪ યુકેથી આવેલા ૩ અને યુએસએથી આવેલા ૩ મળીને કુલ ૨૦ લોકોએ ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો કર્યો છે.બાકીના ૫૦ લોકો જે ક્વોરન્ટાઇન છે.એમાં ૩૩ લોકો મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ આર્દશ વિધાલય ખાતે અને ૧૭ લોકો વૈભવ હોટલમાં પેઇડ ક્વોરન્ટાઇન છે.આ ૫૦.લોકોમાં ફિલિપાઈન્સથી ૨૬ ,સીંગાપોરથી ૧ , રશિયાથી ૧૦ સહિતના વિધાર્થીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે.આ તમામ.લોકો મૂળ ભારતના વતની અને રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના આજુબાજુના છે.હાલ ૫૦ વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઇનમાં છે અને તેમને તમામ.પ્રકારની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.જેનું સુપરવિઝન જીપીસીબીના અધિકારી કાપડિયા કરી રહ્યા છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ