Abtak Media Google News

માણાવદરમાં દાતા સ્વ. પ્રાણલાલ પરીખ ના સ્મરણાર્થ  હસ્તે. જુગલ સુનીલભાઈ પરીખ મુંબઇ તથા સ્વ. મહેશભાઈ રતીભાઇ દોશી હસ્તે મધુબેન મહેશભાઇ દોશી મોરબી ના સહયોગથી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા અને લાયન્સ કલબ માણાવદર ના સુર્વણ જયંતી વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે વિનામૂલ્યે ૪૦૧  મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો

Advertisement

સ્વ. પ્રાણલાલ પરીખ સ્મરણાર્થ.  હસ્તે.જુગલ સુનીલભાઇ પરીખ તથા સ્વ. મહેશભાઇ રતિભાઇ દોશી તથા મધુબેન મહેશભાઇ દોશી ના સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના ડોકટર સ્ટાફે પોતાની સેવાઓ આપી હતી આ નેત્રયજ્ઞ નિદાન કેમ્પ માં મોતીયો, ઝામર,વગેરે ઑપરેશન લાયક દર્દીઓને આજ દિવસે ખાસ બસમાં રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઑપરેશન બાદ રજા અપાયે માણાવદર પરત પહોંચતા કરવામાં આવ્યા હતા. આ વિનામૂલ્યે યોજાતા નેત્રયજ્ઞમાં કે જેમાં ઑપરેશન,  નેત્રમણિ, દવા, રહેવાનું જવા અને આવવાનું વગેરે ફ્રિ  આપવામાં આવેશે.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે લાયન્સ કલબ મંત્રી પ્રવિણભાઇ નાદપરા, નેત્રરક્ષા સમિતી ચેરમેન ડો. પંકજભાઇ જોષી, ચિરાગ પટેલ, વસંતભાઈ જાદવ, કિરીટભાઇ યાદવ,  વગેરે જેહમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.