માણાવદર પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ થી વધુ વરસાદે શહેરમાં ૭ નાકરા- જીલાણા ૫ , જાંબુડા ૬, કતકપરા ૫, એમ જુદા જુદા ગામોમાં રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદ ના પગલે શહેરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો તથા શહેર તરફની સાઇડમાં ધોવાણ થયું છે જે જોખમી બની શકે છે. બાંટવા ખારાડેમના આઠ દરવાજા ખોલી એક વર્ષ ચાલે તેટલો જથ્થો છોડેલ છે. ઓઝત ડેમના દરવાજા ખોલવાના કારણે આંબલીયા ધેડ સહિતના ગામોમાં બે થી ચાર ફૂટ પાણી ધુસી ગયા અને બેટમાં ફેરવાયા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નદી, ડેમો, વોકળા ભયજનક સ્થિતિ ઓએ વહી રહયા છે. ઉપરથી કાળો કેળ જેવા વરસાદ થી લોકો ભયભીત થયા છે. શું થશે? ૧૯૮૩ના પુર હોનારત ની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામા પણ પૂરજેવી સ્થિતિ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી