Abtak Media Google News

રાજકોટ અને પડધરી તાલુકાનું કુલ વાવેતર ગત વર્ષની સાપેક્ષે ૧૮૦ ટકા વધ્યુ: પાણીની અછત હોવા છતાં વાવેતરમાં થયેલા વધારા પાછળ ગત શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને ડેમના તળ જીવતા હોવાનું કારણ જવાબદાર

તલ, ડુંગળી અને શાકભાજીના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો, ઘાસચારો અને મકાઈનું વાવેતર વધ્યુ: જિલ્લાનું કુલ વાવેતર ૧૧૭૯ હેકટર ઘટયું

રાજકોટ જિલ્લાના ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની સાપેક્ષે ૧૧૭૯ હેકટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત જિલ્લામાં મગફળીના વાવેતરમાં પણ ૭૫ ટકાનો ધરખમ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. સાથે તલ, ડુંગળી અને શાકભાજીનું વાવેતર પણ ઘટયું છે. જયારે ઘાસચારો અને મકાઈના વાવેતરમાં વધારો નોંધાયો છે. તાલુકા વાઈઝ જોઈએ તો પાણીના વિકરાળ પ્રશ્ન વચ્ચે પણ રાજકોટ અને પડધરી તાલુકાનું વાવેતર ગત વર્ષની સાપેક્ષે ૧૮૦ ટકા જેટલું વધ્યું છે. પાણીની અછત હોવા છતાં વાવેતરમાં થયેલા વધારા પાછળ ગત શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને ડેમના તળ જીવતા હોવાનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ઉનાળુ પાકનું વાવેતર ૭૮૩૦ હેકટરમાં થયું હતું. જયારે વર્ષ ૨૦૧૯માં આ વાવેતર ઘટીને ૬૬૫૧ હેકટરે પહોંચ્યું છે. રાજકોટ, પડધરી અને વિંછીયા તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં ગત વર્ષની સાપેક્ષે ઉનાળુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ તાલુકામાં ૭૨૦ હેકટર, પડધરી તાલુકામાં ૫૮૬ હેકટર અને વિંછીયા તાલુકામાં ૩૭ હેકટરનો વાવેતરમાં વધારો નોંધાયો છે.

જયારે જસદણમાં ૧૮૨, જેતપુરમાં ૩૯૮, ધોરાજીમાં ૭૩, ઉપલેટામાં ૩૪૩, જામકંડોરણમાં ૩૬૦, ગોંડલમાં ૪૨૯, કોટડા સાંગાણીમાં ૫૭૩ અને લોધીકામાં ૧૬૪ હેકટરનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે રાજકોટ જિલ્લામાં પાણીનો વિકરાળ પ્રશ્ર્ન છે તેમ છતાં રાજકોટ અને પડધરી તાલુકામાં ઉનાળુ વાવેતરમાં વર્ષ ૨૦૧૯માં નોંધપાત્ર આશ્ચક વધારો નોંધાયો છે. જેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને અનેક જગ્યાએ ડેમતા તળ જીવતા હોવાનું કારણ જવાબદાર છે.

સામાન્ય રીતે ખેડૂતો શિયાળુ વાવેતર સારૂ જાય તો ઉનાળુ વાવેતર કરતા હોતા નથી. કારણ કે, શિયાળામાં પાકનું ઉત્પાદન વધતા ઉનાળુ વાવેતર કરવાનો સમય ખેડૂતો પાસે રહેતો નથી પરંતુ જો શિયાળુ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને નાછુટકે ઉનાળુ વાવેતર પર વધારે વજન આપવું પડતું હોય છે. આવી રીતના રાજકોટ અને પડધરી તાલુકામાં શિયાળુ પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતો ઉનાળુ પાક તરફ વળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત પડધરી અને રાજકોટ તાલુકાના અનેક ડેમોના તળ જીવતા હોવાથી ડેમને નજીક આવેલા ખેતરોમાં પાણી મળી રહેતુ હોય તેથી ઉનાળુ વાવેતર વધ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે મગફળીના વાવેતરમાં ૭૫ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. વિગતવાર જોઈએ તો જિલ્લામાં મકાઈમાં ૧૫૭, મગમાં ૨૩, મગફળીમાં ૮૭૬, શેરડીમાં ૭૧ અને ઘાસચારામાં ૩૨૭ હેકટર વાવેતરનો વધારો થયો છે. જયારે બાજરીમાં ૪૩, અડદમાં ૪૦, તલમાં ૩૨૩, ડુંગળીમાં ૧૮૦ હેકટર ઘટાડો નોંધાયો છે. તલ, ડુંગળી અને શાકભાજીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેના ભાવ પણ વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ઉપરાંત જિલ્લામાં ગત વર્ષે સક્કરટેટીનું ૧૧ હેકટર, તરબુચનું ૮૩ હેકટર અને દાડમનું ૨ હેકટરમાં વાવેતર થયું હતું. જયારે આ વર્ષે આ ત્રણેય ફળનું વાવેતર નહીંવત થયું હોવાનું જાણવા મળ્યું છે.

તાલુકા પ્રમાણે વાવેતરની તુલના (હેકટરમાં)

તાલુકાનું નામવર્ષ ૨૦૧૮વર્ષ ૨૦૧૯વધારો/ઘટાડો
રાજકોટ૪૭૭૧૧૯૭વધારો ૭૨૦
જસદણ૫૧૯૩૩૭ઘટાડો ૧૮૨
પડધરી૨૪૮૮૩૪વધારો ૫૮૬
વિંછીયા૨૪૦૨૭૭વધારો ૩૭
જેતપુર૭૮૫૩૮૭ઘટાડો ૩૯૮
ધોરાજી૬૮૦૬૦૭ઘટાડો ૭૩
ઉપલેટા૧૬૬૫૧૩૨૨ઘટાડો ૩૪૩
જામકંડોરણા૬૪૦૨૮૦ઘટાડો ૩૬૦
ગોંડલ૧૩૧૦૮૮૧ઘટાડો ૪૨૯
કોટડા સાંગાણી૭૯૦૨૧૭ઘટાડો ૫૭૩
લોધિકા૪૭૬૩૧૨ઘટાડો ૧૬૪

 

­­પાક પ્રમાણે વાવેતરની તુલના (હેકટરમાં)

પાકવર્ષ ૨૦૧૮વર્ષ ૨૦૧૯વધારો/ઘટાડો
બાજરી૨૭૩૨૩૦૪૩   ઘટાડો
મકાઈ૨૨૧૭૯૧૫૭ વધારો
મગ૧૭૮૨૦૧૨૩   વધારો
અડદ૮૧૪૧૪૦  ઘટાડો
મગફળી૧૧૫૯૨૮૩૮૭૬ ઘટાડો
તલ૧૧૮૫૮૬૨૩૨૩ ઘટાડો
ડુંગળી૩૦૭૧૨૭૧૮૦ ઘટાડો
શેરડી૨૧૯૨૭૧ વધારો
શાકભાજી૧૫૪૬૧૩૪૭૧૯૯ ઘટાડો
ઘાસચારો૨૯૬૨૩૨૮૯૩૨૭ વધારો
સકરટેટી૧૧૧૧ ઘટાડો
તરબુચ૮૩૮૩ ઘટાડો
દાડમ૨ ઘટાડો

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.