Abtak Media Google News

 જામનગરના પાણાખાણમાં ભીના હાથે દરવાજો બંધ કરતા એક યુવાનને કપાયેલા વીજ વાયરમાંથી મોત મળ્યું છે. 

જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલા શિવનગર-રમાં રહેતા મગનલાલ માંડાભાઈ કુડેચા નામના પાંત્રીસ વર્ષના કોળી યુવાન શનિવારે રાત્રે પોતાના ઘરે પ્લગમાં લેમ્પ ચડાવવા માટે ઉપર ચડયા હતા ત્યાર પછી ભીના હાથે લેમ્પ ચડાવી જ્યારે તેઓ નીચે ઉતર્યા ત્યારે દરવાજો બંધ કરવા જતી વખતે વાયર કપાઈને દરવાજા પર પડયો હતો અને તે દરવાજાને મગનભાઈનો ભીનો હાથ અડકેલો હોય તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.

સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના ભાઈ મુકેશ કુડેચાનું નિવેદન નોંધ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.