Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના મેયર વિનોદભાઇ ખીમસુર્યાના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) કાર્યક્રમનું આયોજન ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં વસતા આદિમજુથના ૩૭૫ પરિવારોને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે,ભારત દેશ પોતાની આઝાદીનાં ૭૫ વર્ષનો આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું હોય ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતનાં તમામ નાગરિકોને જેમાં પીડિત, શોષિત અને વંચિત લોકોને તમામ પ્રકારનાં લાભ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકલ્પો હાથ ધરેલ છે જે પૈકી દેશમાં ૭૦૦ થી પણ વધારે અનુસુચિત જનજાતિઓના ૧૦.૪૫ કરોડ જેટલા લોકો વસે છે જેમાંથી ૭૫ અનુસૂચિત જનજાતિઓકે જે અતિ પછાત રહેલી છે તેઓને PARTICULARLY VULNERABLE TRIBAL GROUPS (PVTG) તરીકે સુનીચિત કરવામાં આવી છે. જેમાંથી ગુજરાત રાજ્યમાં ૫ અને જામનગર જિલ્લામાં ૧ આદિમજાતિ જુથ વસવાટ કરે છે.Whatsapp Image 2024 01 16 At 10.26.26 2E401Fb3

પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના લોકોને માળખાકિય સુવિધા પુરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત આદિમ જૂથો (PVTG)ના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનુ ચોખ્ખું પાણી, સાફ સફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, રસ્તાઓ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓ પુરી પાડવાનો છે.

કાર્યક્રમમાં મેયરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભો જેવાકે આયુષ્માન કાર્ડ, ઉજવલ્લા યોજના, રાશનકાર્ડ લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આદિવાસી ગીત દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ઉપસ્થિત લોકોએ સરકાર દ્વારા નિર્મિત આદિવાસી સમુદાય ને લગત ફિલ્મ નિહાળી હતી.Whatsapp Image 2024 01 16 At 10.26.25 Be96Ca87

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિવિધ રાજ્યોમાં આયોજિત પીએમ જનમન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ આ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.Whatsapp Image 2024 01 16 At 10.26.26 Fa8D82Fb

અત્રે ઉલ્લેખનીય છે જામનગર જિલ્લામાં તા.૧ થી તા.૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિભાગોની ટીમો બનાવી કુલ ૧૨ જેટલા કેમ્પો કરી જામનગર જીલ્લામાં આદિમજુથના લોકો માટે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એન.એફ.એસ.એ. કાર્ડ, પ્રધાન મંત્રી ઉજ્જવલ્લા યોજના હેઠળ ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી જન ધન યોજનાનો લાભ તેઓના ઘર આંગણે મળી રહે તેવા સઘન પ્રયત્નો કરવામા આવ્યા છે. જામનગર જિલ્લાના સિદ્દિ આદિમજુથના કુલ ૪૭ જેટલા વ્યક્તિઓ પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતા જેના લાભાર્થીઓ હવે માત્ર ૧૪ દિવસના સમયગાળામાં ૬૦૦ થી વધારે થયેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, નિવાસી અધિક કલેકટરશ્રી બી. એન. ખેર, પ્રાંત અધિકારીશ્રી, નાયબ કમિશનરશ્રી વાય. ડી. ગોહિલ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી એ. જે. ધોલ, અધિકારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.