- મની વેલના કુંડામાં બરફનું પાણી અથવા ટુકડા નાંખવાથી વેલ જલદીથી વધશે.
- આંજણ પ્રસરી જાય એવું ઢીલું થઇ ગયું હોય તો ફ્રીજમાં રાખવું.
- નેઇલ પોલીશ જામી ગઇ હોય તો તેમાં ત્રણ ટીપાં સ્પીરીટ ઉમેરવું. ફરીથી વાપરવા યોગ્ય થઇ જશે.
- ઉનના કપડામાં લવીંગ રાખવાથી આખું વર્ષ જીવાત રહિત રહી શકશે.
- શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લપેટીને તેના ઉપર વાસણ ઉંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઉઠશે અને છ માસ સુધી ઉંટકવાની જરુર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિં.)
- બટાકાને બાફયા પછી એના વધેલા પાણીથી સોનાના ઘરેણાં ધોવાથી ઘરેલાં એકદમ ચમકી ઉઠશે.
- ટેબલ કે કબાટના ખાનાઓમાં કાટ લાગ્યો હોય તો એને પહેલાં કાચ-કાગળી ઘસી લો. પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિં લાગે અને જલદી ખૂલી પણ શકશે.
- દહીંવડા બનાવતી વખતે પીસેલી મગની દાળ અને અડદની દાળમાં એક ચમચો મેંદો નાંખવાી દહીંવડા સરસ બનશે.
- ટીનની ડોલમાં પાણીનો મેલ જામી ગયો હોય તો કાચ કાગળ ઘસી નાંખો. મેલ નીકળી જશે.
- સાડી, ડ્રેસ પર ઝાંખુ પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા તેના ઉપર ફટકડીનો ભૂકો ઘસો.
Trending
- ડીવાઇન ચેરી. ટ્રસ્ટ અને જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે કાલે દંતયજ્ઞ
- ભવિષ્યમાં આગની દુર્ઘટનાઓ ન બને તે માટે ગ્રેટર ચેમ્બર તંત્રને સહયોગ આપવા તત્પર
- એક પછી એક દુર્ઘટના છતાં પણ નફ્ફટ તંત્ર શીખ કેમ નથી લેતું ?
- ગેમ ઝોનમાં સંઘરેલો પેટ્રોલ-ડીઝલનો જંગી જથ્થો ગેરકાયદેસર?
- સ્ટર્લિંગ હોસ્પિટલનું લાઈફ સેવર અભિયાન કટોકટીની સ્થિતિમાં સપડાયેલા માટે બનશે ‘આશિર્વાદરૂપ’
- અમારા સ્વજનોના મૃત્તદેહ હવે તો સોંપો: મૃત્તકના પરિવારજનોનો આક્રંદ આક્રોશમાં ફેરવાયો
- ઉપરથી મોકલાવેલો રૂપિયો અકબંધ નીચે સુધી પહોંચે છે તો કામને લઈ તંત્ર શા માટે ફેઈલ?
- વધુ સત્તા મળતા ભાજપ બન્યું અહંકારી, ગુજરાતમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે: શક્તિસિંહ ગોહિલ