Abtak Media Google News

જામનગર મા તસ્કરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ વધુ એક જંગી  ચોરી થતા ચકચાર મચી જવા પામી છે જેમા એક બંધ ઘરમાંથી ૯૭ તોલા સોનાના દાગીના ચોરાયા છે. શહેરમા ઓશવાળ કોલોની મા શેરી નં ૬  માં  રહેતા જગદીશચંદ્ર રામેશ્વર એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન માં નોંધાવેલી ફરિયાદ મુજબ તે પરિવાર સાથે ઘર બંધ કરી પ્રસંગ મા ગયેલા ત્યારે કોઇ અજાણ્યા ચારેક જેટલા શખ્સો તેના ઘરના તાળા નકુચા કબાટ તોડી ૯૭ તોલા સોનાના દાગીના ને રોકડ મળી કુલ ૨૨ લાખ ૫૦હજારની ચોરી કરી ગયા છે .

પડકાર જનક આ ચોરીની તપાસ પોલીસ ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ. ની મદદ થી તેમજ નિવેદનો લઇ ને કરી રહી છે. આ ચોરી અંગે સી.સી.ટી.વી. ફુટેજમા જોકે બે અજાણ્યા શખ્સો દેખાય છે તેના ઉપરથી પણ અમુક શકમંદોની હવે પુછપરછ થાય તેવુ લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.