રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં વસુંધરા કા રાજા આકર્ષણ બન્યું છે. ગણપતિના દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીઓ તેમજ સોસાયટીના દરેક સભ્યો સાંજે મહાઆરતીમાં ઉમટી પડે છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના ધર્મપત્ની વસુંધરા કા રાજાના દર્શન કરવા આવ્યા હતા ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિ જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા આ તબકકે તેમણે મહાઆરતી અને પુષ્પાંજલીનો લાભ લીધો હતો. દરમ્યાન વસુંધરા કા રાજાનું જે રીતે સોસાયટીનાં સભ્યોએ આયોજન કર્યું હતુ તેની કલેકટરે પ્રશંસા કરી હતી. સુંદર આયોજન બદલ તેમના ધર્મપત્ની પણ ગદગદીત થઈ ગયા હતા. સાથોસાથ વસુંધરા કા રાજાના દર્શન માટે શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ પણ મહાઆરતી તથા પુષ્પાંજલીનો લાભ લીધો હતો. અને સુંદર આયોજન બદલ ગણેશ ઉત્સવ કમીટીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ પરિવારજનો સાથે વસુંધરા કા રાજાની મહાઆરતી તથા પુષ્પાંજલીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ગણેશ ઉત્સવ કમિટીએ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.
Trending
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર